કોરોનાને નાથવા અમરેલી માં વેકસીનની પધરામણી. તા.16મી થી પ્રારંભ.ના આજે 10 પોઝિટિવ સામે 6 ડિસ્ચાર્જ.
અંતે અમરેલીમાં વેકસીનની પધરામણી આજે 10 પોઝિટિવ કેસ સામે 6 ડિસ્ચાર્જ. અમરેલી જિલ્લા માં કોરોનાને નાથવા અત્યારે વેકસીનની પધરામણી થઈ. તા.16 જાન્યુઆરીથી સમગ્ર દેશ સાથે અમરેલીમાં પણ વેકસીન આપવાનું શરૂ થશે. પ્રાથમિક તબક્કા માં 11 હજાર વેકસીનનો ક્વોટા અમરેલીને ફાળવવા માં આવ્યો છે. શરૂઆતમાં જિલ્લાના સરકારી તેમજ ખાનગી ડોક્ટરો, હેલ્થને સંબંધિત તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલ, દવાખાનાના કર્મચારીઓ, વેકસીન આપવામાં આવશે. આજ તા. 13 જાન્યુઆરીના રોજ કોવિડ-19 ના અમરેલી જિલ્લા માં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા. હાલ ફક્ત 32 દર્દીઓ જ સારવાર લઈ રહ્યા છે. આજે 6 દર્દી સાજા થઇ જતા હોસ્પિટલ માથી ડિસ્ચાર્જ થયા. જિલ્લામા કોરોના થી અત્યાર સુધીમા 41 વ્યકિત મોતને ભેટી ચુકી છે. હાલ કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક 3758 પર પહોંચ્યો.
અમરેલીમાં કોરોના વધુ 10 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 3758 પર

Recent Comments