અમરેલી P.G.V.C.L કચેરી નું કરોડો નું જમણ તોઉતે વાવાઝોડા દરમ્યાન બે કરોડ અગીયાર લાખ નું હોટલ રેસ્ટોરન્ટ નું નિયમ વિરુદ્ધ ચુકવણી કરનાર સામે પગલાં લેવા માંગ કરી

અમરેલી આર ટી આઈ એક્ટિવસ્ટ નાથાલાલ સુખડીયા ની અધિક મુખ્ય સચિવશ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગાંધીનગર સમક્ષ માંગ અમરેલી પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી -૧ દ્વારા તૌકતે વાવાઝોડા દરમ્યાન બહાર થી આવેલા અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાકટર ગેંગને રહેવા જમવા પાછળ રૂા.૫૫,૬૧,૮૪૭ / – ( પંચાવન લાખ એકસઠ હજાર આઠસો સુડતાલીસ ) ને અમરેલી પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી -૨ દ્વારા તૌક્તે વાવાઝોડા દરમિયાન બહારથી આવેલ કર્મચારીઓ અને કોટ્રાકટરો ની ગેંગને રહેવા જમવા પાછળ રૂા . ૧,૫૫,૭૩,૯૮૭ / – એક કરોડ પંચાવન લાખ તોતેર હજાર નવસી સત્યાસી ના ચુકવણા હોટલ , રેસ્ટોરન્ટ , નાસ્તાના ચુકવણા કોઈપણ જાતના ટેન્ડર કે ત્રણ ભાવ માંગ્યા વગર ચુકવી આપેલ છે જેમાં જી.એસ.ટી • નંબરવાળા પાકાબિલ કે કોઈપણ સરકારી નાણાકીય નિતિ નિયમો અનુસર્યા વગર આ બંને કચેરીઓ દ્વારા રૂા .૨,૧૧,૩૫,૮૩૪– બે કરોડ અગીયાર લાખ પાત્રીસ હજાર આઠસો ચોત્રીસ ના ચુકવી આપેલ તો કોન્ટ્રાકટરોને તો લાઈનો મરામત કામગીરીમાં આવી કોઈ જોગવાય રહેવા જમવાની વિભાગે આપવાની હોતી તેમજ અધીકારીઓ અને કર્મચારી ઓના બિજા જિલ્લામાંથી આવેલ ને તો જિલ્લામાંથી ડી.એ. લેવામાં આવેલ હોય તો આને રહેવા જમવા માટેની સરભરા કરવાની અમરેલી પી.જી.વી.સી.એલ. કચેરીને બધાજ નાણાકીય નિયમો નિતિઓ વિરૂધ્ધ આવડી મોટી રકમ ખર્ચ કરવાની શું ? જરૂર પડી ઉર્જા મંત્રીશ્રી ગુજરાત રાજય , સચિવાલય ગાંધીનગર , સચિવશ્રી પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી –૨ માં તોઉતે વાવાઝોડા દરમિયાન રૂા.૨,૧૧,૩૫,૮૩૪ / – ના રહેવા જમવા પાછળના નાણાકીયા ખર્ચ નિયમો નીતી વિરૂધ્ધ થયેલ ચુકવણાની તપાસ કરી વિભાગને નુકશાન પહોચાડનાર સામે પગલા ભરવા જે તપાસનો વિષય છે તેમજ બિજા જિલ્લા ઓના અધીકારી અને કર્મચારીઓએ ડી.એ લીધેલ હોય જે પણ તપાસવુ જરૂરી છે તદઉપરાંત લાઈનો રીપેરીંગના કોન્ટ્રાકટરોને અને તેમના મજૂરો ને પણ પી.જી.વી.સી.એલ. દ્વારા શા ? માટે રહેવા જમવાનો ખર્ચ અનઅધીકૃત રીતે ચુકવવામાં આવ્યો જે પણ બાબત કોઈ સ્પષ્ટ નથી જવાબદાર અધીકારીઓ દ્વારા વિભાગ ના કોઇપણ નિયમો અનુસર્યા વગર નુકશાન કરેલ હોય જેની તમામ પાસેથી નિયમોનુસાર રીકવરી કરવા અને યોગ્ય સ્તરેથી તપાસ થવા ગુજરાત રાજય તકેદારી આયોગ કચેરી ગાંધીનગર સમક્ષ સુખડીયા એ માંગ કરી છે
Recent Comments