રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઇ રહ્યો છે. આજે બપોર સુધીમાં નવા ૧૩ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૫૦૦૩ પર પહોંચી છે. શહેરની અલગ અલગ હોસ્પિટલમાં ૩૨૭ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં ૨૪ કલાકમાં ૩ દર્દીના મોત નીપજ્યાં છે. રવિવારે ૫૯ દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે સવારે શહેરના ૮ સ્થળોએ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.
જેમાં આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં કુલ ૨૧૫ લોકોને વેક્સિન આપવામાં આવી છે. રાજકોટમાં રવિવારે કોરોનાના નવા ૫૯ કેસ સામે આવ્યા હતા. જેમાં રાજકોટ શહેરના ૪૫ અને ગ્રામ્ય વિસ્તારના ૧૪ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસની સંખ્યા ૨૧૭૨૬ થયા છે. જેમાંથી ૪૯૫ દર્દી સારવાર હેઠળ છે. સારવાર હેઠળના દર્દીઓ પૈકી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે અને હોસ્પિટલમાં રાજકોટના દર્દીઓની સંખ્યા પાંખી છે,
જ્યારે અન્ય જિલ્લાના દર્દીઓને પણ સમાવાય તો પણ સમગ્ર રાજકોટમાં ૨૫૦૦ બેડમાંથી ૨૩૫૦ કરતા વધુ કોવિડ બેડ ખાલી છે. રવિવારની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં કેટલા દર્દીઓનાં મોત થયા છે તે આંક તંત્રે જાહેર કર્યો નથી. કોરોના વેક્સિનેશનમાં સોમવારે તંત્ર રજા રાખે છે પણ જિલ્લા આરોગ્ય વિભાગ આજે ખાસ કિસ્સામાં ત્રંબાની નર્સિંગ કોલેજમાં બૂથનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટમાં આજે બપોર સુધીમાં કોરોનાના વધુ ૧૩ કેસ નોંધાયા, ૩ના મોત

Recent Comments