લાઠી તાલુકા કક્ષાના વણ ઉકેલ પ્રશ્ર્નોનો ત્વરીત નિકાલ થાય અને લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃત ધારાસભ્ય તરીકે લોકચાહના પ્રાપ્ત કરનારા વિરજીભાઈ ઠુમ્મર સંકલન મીટીંગમા તમામ વિભાગને લગતા પ્રશ્નો બાબતે પ્રાંત અધિકારી શ્રી ગૌતમ ઉત્સવ સાથે પરામર્શ કરી જરૂરી સુચના આપવામાં આવી હતી. મુખ્યત્વે દામનગર સીટી સર્વે વિભાગમાંથી લાંબા સમયબાદ નોટીસ આપ્યા બાદ કમૅચારી હાજર રહેતાં અનેક પ્રશ્નોન્તરી આઈ.એ.એસ ગૌતમ ઉત્સવે કરી હતી.તેમજ દામનગરમાં દબાણ બાબતે યોગ્ય ઉકેલ લાવવા સુચના આપી હતી. આ સંકલન મીટીંગમા મામલતદારશ્રી ડી.બી.પંડયા,તા.વિ.અધિકારી મકવાણા.દામનગર પાલીકા પ્રમુખ ગોબરભાઈ નારોલા , ચીફ ઓફિસર, તેમજ વનવિભાગ,પી.જી.વી.સી.એલ, પાણી પુરવઠા, આંગણવાડી, અને તાલુકા કક્ષાનો કમૅચારીગણ ઉપસ્થિતિ રહ્યા હતા.
લાઠી પ્રાંત કચેરી ખાતે તા.૨-૧-૨૧ ના રોજ પ્રથમ શનિવારે કલેકટર શ્રી ગૌતમ ઉત્સવની અધ્યક્ષતામાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ

Recent Comments