ભાવનગર

ભાવનગર શહેરમાં મહોરમ/ તાજીયા પર્વ નિમિત્તે એકમાર્ગીય માર્ગો અંગે સુધારા જાહેરનામું પ્રસિદ્ધ

આગામી તા.૨૫/૦૬/૨૦૨૬ તથા તા.૨૬/૦૬/૨૦૨૬ના રોજ મહોરમ/તાજીયાનો તહેવાર દરમ્યાન
ભાવનગર શહેરમાં કેટલાક રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોય, જેથી આ રસ્તાઓ ઉપર
તા.૨૫/૦૬/૨૦૨૬ના કલાક ૧૮:૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૬ સુધી એકમાર્ગીય માર્ગો અંગે સુધારા જાહેરનામું બહાર
પાડવું જરૂરી જણાતાં ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ
ભાવનગર, શહેરના કેટલાંક રસ્તાઓને તા.૨૫/૦૬/૨૦૨૬ ના કલાક ૧૮:૦૦ થી તા.૨૬/૦૬/૨૦૨૬ સુધી
એકમાર્ગીય જાહેર કર્યાં છે.

જાહેરનામાં અનુસાર, એક માર્ગીય રસ્તાઓ

  1. ભાવનગર શહેરના હેરીસ રોડના નાકાથી શેલારશા ચોક, સંઘેડીયા બજાર થઈને અલકા ટોકીઝ સુધી.
  2. અલકા ટોકીઝથી વડવા તલાવડી ચોક થઈ ચાવડી ગેટથી બાપુની વાડી પાવર હાઉસ સુધી.
  3. વાસણ ઘાટથી શેલારશા ચોક અને મીની ગેસ્ટ હાઉસ સુધી.
  4. ખારગેટ ચોકથી મામાકોઠા અને બાર્ટન ચોકથી હલુરીયા ચોક સુધી.
  5. સંતકંવરરામ ચોકથી કેસરબાઈની મસ્જીદ થઈ હલુરીયા ચોક સુધી.
  6. એસ.પી. કચેરી સામે રોડથી નવાપરા રણવીર હનુમાનજી મંદિર થઈ મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી,
  7. જોગીવાડની ટાંકીથી રૂવાપરી રોડ બાર્ટન લાયબ્રેરી ચોક સુધી.
  8. ખડપીઠ મોર્ડન સર્વીસ સ્ટેશનથી નવાપરા ચોક, એસ.પી. કચેરી રોડ રણવીર હનુમાનજી મંદિર સુધી.
  9. શેલારશા ચોકથી આંબાચોક હેરીસ રોડના નાકા સુધી સંપુર્ણ વાહન વ્યવહાર બંધ.
  10. પારસીની અગીયારીથી મનહરકુંવરબા રાજપુત છાત્રાલય સુધી.
  11. દિપક ચોકથી વીમાના દવાખાના સુધી, તાજીયાના રૂટ પર સામેથી મોટા વાહનો ચલાવવા પર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ, મહેસુલ ખાતુ, પી.જી.વી.સી.એલ., ફાયર બ્રીગેડ, એમ્બ્યુલન્સ તથા
આવશ્યક સેવા અંગેના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને
પાત્ર થશે.
“જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના દરજ્જાના ન હોય તેવા
અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યાં છે.

Related Posts