સુરત અમરોલી તાપી કિનારે લંકા વિજય હનુમાન આશ્રમે જગન્નાથ ભગવાન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

સુરત અમરોલી તાપી કિનારે લંકા વિજય હનુમાન આશ્રમે તા૧૭ નવેમ્બર દરમ્યાન જગન્નાથ ભગવાન મંદિરનો ભવ્યાતિભવ્ય,૧૦૮ નદીના જળની કળશયાત્રા તેમજ તા.૧૭ મુતિઁ ઓને અન્નાધિવાસ,તા.૧૮ ફુલાધિવાસ અને તા.૧૯ ભગવાન ની મુતિઁ ઓને જલાધિવાસ ભુદેવો દ્વારા કરાવવામાં આવેલ ,શુક્રવાર તા.૧૯ ના રોજ દ.ગુજરાત ના વિવિધ ધમઁસ્થાનોના મહામંડલેશ્વર, સંતો,મહંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ, ભુદેવો દ્વારા મંત્રોચાર સાથે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્ર,બહેન સુભદ્રા,નૃસિહ ભગવાન વામન,વરુણદેવ,વરાહ,ગરુડદેવ તેમજ જય-વિજયની મુતિઁ ઓની પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવેલ,હજારોની સંખ્યામાં ભાવિકોએ ભોજનપ્રસાદ લીધેલ,સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે લંકા વિજય હનુમાન મહંત મહામંડલેશ્વર ૧૦૦૮ સીતારામદાસબાપુના માગઁદશઁન નીચે સેવક સમુદાય દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ
Recent Comments