ગુજરાત

૨૧ ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાનું મતદાન યોજાશેઃ ૨૩મીએ પરિણામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેરઃ ૨૧ અને ૨૮ ફેબ્રુઆરીએ મતદાન

૨૮ ફેબ્રુઆરીએ બીજા તબક્કામાં ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે જેનું પરિણામ ૨ માર્ચના રોજ યોજાશે
૯૧ હજાર ૭૦૦થી વધુ ઇવીએમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાશે,અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર મનપાની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે. આજે ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે. ૨૧ ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન ૨૮ ફેબ્રુઆરીએ થશે. ૬ મહાનગર પાલિકાની ચૂંટણી ૨૧ ફેબ્રુઆરીએ અને ૮૧ નગર પાલિકાની ચૂંટણી ૨૮ ફેબ્રુઆરીએ તથા ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવા તઈ રહી છે.
આજે ૨૩ જાન્યુઆરીના રોજ ગુજરાત ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત કરી છે. જેમા ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ મહાનગરપાલિકા માટે ૦૧ ફેબ્રુઆરી તેમજ જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા માટે ૮ ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. ત્યાં જ ઉમેદવારોને ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ ૬ ફેબ્રુઆરી તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકા ૧૩ ફેબ્રુઆરી નક્કી કરાઇ છે. ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ મહાનગરપાલિકા માટે ૮ ફેબ્રુઆરી તથા બાકી તમામ જિલ્લા-તાલુકા માટે ૧૫ ફેબ્રુઆરી છે.
આ દરમિયાન મહાનગરપાલિકાના ઉમેદવાર ૯ ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે તથા જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના ઉમેદવાર ૧૬ ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઉમેદવારી પરત ખેચી શક્શે.
રાજ્યની ૬ મહાનગરપાલિકાના લોકો ૨૧/૨/૨૦૨૧ રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શક્શે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાના લોકો ૨૮/૨/૨૦૨૧ રવિવારના રોજ સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન કરી શક્શે. ત્યાં જ ૬ મહાનગરપાલિકાની મતગણતરીની તારીખ ૨૩/૨/૨૦૨૧ અને ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત અને ૮૧ નગર પાલિકાની ચૂંટણીની મતગણતરી ૦૩/૦૨/૨૦૨૧ના રોજ હાથ ધરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મુદત છેલ્લા એક માસથી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની ૩૧ જિલ્લા પંચાયતો, ૨૩૧ તાલુકા પંચાયતો, ૮૩ નગરપાલિકાઓ અને ૬ મહાનગરપાલિકાઓ મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં આ ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે છેલ્લા એક મહિનાથી કવાયત હાથ ધરી છે. ઉમેદવારો નક્કી કરવા માટે નિરીક્ષકોની નિમણૂંક સહિતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. બન્ને પક્ષો હાલ ચૂંટણી જાહેર થવાની રાહ જાેઈ રહ્યાં છે. કોરોનાના લીધે એક તબક્કે બન્ને પક્ષોમાં મતદાન પર અસર થવાનો ડર પણ વ્યાપેલો છે.
આપને જણાવી દઇએ કે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતાની સાથે જ આજથી રાજ્યમાં આચરસંહિતાનો અમલ શરૂ થઇ ગયો છે. ચૂંટણી પંચે હાલ પ્રવર્તમાન કોરોનાનાં કાળનાં કારણે ચૂંટણી માટેની જડબેસલાક વ્યવસ્થા અને તૈયારીઓ કરી લીધી છે. રાજ્યમાં લાંબા સમયથી જાેવામાં આવતી ચૂંટણી રાહ વચ્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવતા ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટી આજથી જ કામે લાગશે.
વર્ષે ૨૦૧૫ની ચૂંટણી બાદ યોજાયેલી પેટા ચૂંટણીના અંતે વર્તમાન સમયમાં જાે સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત કરવામાં આવે તો ભાજપ પાસે મહાનગરપાલિકાની ૬૬૪ બેઠકોમાંથી ૪૭૩ બેઠકો છે. એટલે કે મહાનગરપાલિકામાં ભાજપના ૭૧.૨૩ પ્રતિનિધિઓ ચૂંટાયા છે.
જ્યારે નગરપાલિકાના ૪,૯૮૭માંથી ભાજપના ૩,૦૯૯ પ્રતિનિધિઓ ચૂંટાયા છે. એટલે કે ૬૨.૧૪ ટકા ઉમેદવાર ચૂંટાયા છે. જિલ્લા પંચાયતના કુલ ૧,૦૯૮ ઉમેદવારમાંથી ભાજપના ૫૧૨ પ્રતિનિધિ છે. એટલે કે ૪૬.૬૩ ઉમેદવાર ચૂંટાયા છે. જ્યારે તાલુકા પંચાયતની ૫,૨૧૮ બેઠકમાંથી ૨,૫૯૩ બેઠક ભાજપ પાસે છે, એટલે કે ૪૯.૬૯ ટકા ઉમેદવાર જીત્યા હતા.
હવે જ્યારે વર્ષે ૨૦૨૧માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારના આંદોલનો નથી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પેજ પ્રમુખ ફોમ્ર્યુલાથી વિધાનસભાની આઠમાંથી આઠ બેઠકોની પેટા ચૂંટણી પર ભાજપે જીત મેળવી છે. બીજી તરફ ભાજપ કાર્યકરો પણ રિચાર્જ થઈ ગયા છે.
આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૧ હજાર જેટલી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકોમાંથી વધુમાં વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકરોને આપ્યો છે. બીજી તરફ કાૅંગ્રેસ હજુ પણ પોતાની જૂની પદ્ધતિથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. આથી હવે જાેવાનું એ રહેશે કે ભાજપ પોતાની ઐતિહાસિક જીત કેવી રીતે મેળવે છે અને કાૅંગ્રેસ પોતાની બેઠકો કેવી રીતે જાળવી શકે છે.

Related Posts