શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં એક કારમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. વસ્ત્રાલ વિસ્તારના કર્ણાવતી મોલની સામેથી એક કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન તેને કારમાંથી અચાનક જ ધૂમાડા નિકળતા હોવાનું જણાયું હતું. જેને લઈ તેણે સમયસૂચકતા વાપરીને કારને રોકી દીધી હતી. જોકે જોત જોતામાં જ કાર આગની જ્વાળાઓમાં લપેટાવા લાગી હતી.
કારનો ચાલક સમયસર કારની બહાર નિકળી જવાને લઈ રાહત સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. પરંતુ શહેરના ભરચક અવરજવર ધરાવતા માર્ગ પર કાર ભડકે બળવા લાગતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા મોટી રાહત સર્જાઈ હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં ગાડીમાં આગ લાહવાની ઘટના; સમયસૂચકતા દાખવતા ચાલકનો બચાવ

Recent Comments