ગુજરાત

અમદાવાદમાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો સાથે ભોજન લીધુ અને પીરસ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવાં ૧૫૫ ભોજન કેન્દ્રનો શુભારંભ કરાવ્યો છે જેને લઇ આજે અમદાવાદમાં ખૂદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રમિકો સાથે ભોજન લીધુ હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, હવેથી રાજ્યમાં ૨૭૩ કડિયાનાકાં પર શ્રમિકોને માત્ર ૫ રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી બલવંતસિંહ રાજપૂતે શ્રમિકોને ભોજન પીરસી ભાવથી જમાડ્યું અને પછી બંનેએ શ્રમિકો સાથે ભોજન પણ લીધું હતું.

Related Posts