ગુજરાત

અમદાવાદમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજ્યો

અમદાવાદમાં જળયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ભક્તિમય વાતાવરણ જાેવા મળ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે પહોંચ્યા હતા. અમદાવાદમાં યોજાનારી ૧૪૬મી રથયાત્રા પૂર્વે રવિવારે જળયાત્રા યોજાઇ હતી. જળયાત્રા બાદ સાબરમતી નદીના જળથી ભગવાન જગન્નાથનો જળા ભિષેક કરવામાં આવી રહ્યો છે. તેમજ તેની બાદ ભગવાનના ગજવેશ આજે દર્શન થશે. જેની બાદ આજે ભગવાન મોસાળ જશે. રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રાનું અનોખુ મહત્વ હોય છે. આજે યોજાનારી જળયાત્રામાં મુખ્ય અતિથિ તરીકે શિવાનંદ આશ્રમના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજ હાજર રહ્યા હતા. રથયાત્રાનો પ્રથમ પડાવ જળયાત્રા માનવામાં આવે છે. એટલા માટે મંદિર પરિસરમાં રથયાત્રા જેવી જ તૈયારીઓ જળયાત્રામાં પણ થતી હોય છે. ભગવાન જે બળદગાડામાં તૈયાર થઇને જતા હોય છે તેને તૈયાર કરવામાં આવ્યા છે. ૧૦૮ જેટલા કળશ લઇને સાબરમતી નદી સોમનાથ ભૂદરના આરેથી ૧૦૮ કળશમાં સાબરમતી નદીનું જળ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ આ જળની પૂજા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts