શહેરમાં વધતાં રોગચાળાને નાથવા માટે આગામી દિવસોમાં વડાપ્રધાનના આગમનને ઉપલક્ષ્યમાં લઇને ત્યારથી એક પખવાડિયા માટે સફાઇ સહિતની કામગીરીને ધ્યાને લઇ આરોગ્ય પખવાડિયું ઉજવવા માટે પણ સૂચના આપવામાં આવીથ છે. ટાગોર હોલમાં શહેર સંગઠનની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતાં. બેઠકમાં તેમણે સુરતમાં મ્યુનિ. કમિશનરની ખર્ચની મર્યાદા ૩૦ લાખથી ઘટાડી ૧૫ લાખ કરી હોવાની વાત કરી હતી. હવે પાટીલને ખુશ કરવા મ્યુનિ. ભાજપના હોદ્દેદારો અમદાવાદ મ્યુનિ. કમિશનરની ખર્ચની મર્યાદા ઘટાડવા ર્નિણય કરી શકે છે.
જાેકે આ ર્નિણયમાં મ્યુનિ. ભાજપના નેતામાં બે ભાગ પડી ગયા છે. એક કોર્પોરેટરે તેમના વિસ્તારમાં કોરોનાના કેટલાક દર્દીઓ છે અને કેટલી રસી આવી તેની વિગતો માગી હતી. આરોગ્ય અધિકારીએ તે જણાવી ન હતી. જેથી અધિકારી સામે સ્ટેન્ડિંગમાં ઠપકા દરખાસ્ત રજૂઆત કરાઈ છે. શહેરમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના રોગચાળાએ માથું ઊંચક્યું છે. સિવિલની ઓપીડીની સંખ્યામાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો છે, જેમાં રોજના ૧૫૦થી વધુ બાળકો સારવાર માટે આવે છે. સોલા સિવિલમાં ૧૧ મહિનાના એક બાળકનો સ્વાઈન ફ્લૂ અને ૧ બાળકનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે શાહીબાગમાં ડેન્ગ્યુના કારણે ૧૨ વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે. સિઝનમાં આવેલાં ફેરફારને લીધે સિવિલ અને સોલા સિવિલમાં વાયઈલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. જેને કારણે સિવિલની ઓપીડીમાં ૨૫૦૦થી ૩ હજારને બદલે રોજના ૩૫૦૦ દર્દી સારવાર માટે આવે છે, અને તેમાંય રોજ ૧૦૦થી ૧૫૦ બાળકોને તાવ, શરદી, ખાંસી જેવાં વાઈરલ ઇન્ફેક્શનનાં લક્ષણો સાથે સારવાર માટે લવાય છે. સોલા સિવિલમાં ૧૧ મહિનાના બાળકનો સ્વાઇન ફલૂનો તેમજ ૧૫ વર્ષના બાળકને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સોલા સિવિલની ઓપીડીમાં રોજના ૫૦થી ૬૦ બાળકોને સારવાર માટે લવાય છે, જેમાંથી ૩૦થી ૩૫ને દાખલ કરવા પડે છે. જ્યારે ઓપીડીમાં સારવાર અપાતી હોય તેવાં બાળકોમાં ઠંડી ચઢીને તાવ અને ઝાડા-ઊલટી મળીને ૪૫થી વધુ કેસ નોંધાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના આંકડાં મ્યુનિ.અધિકારીઓ દ્વારા છૂપાવીને જાહેર આરોગ્ય સાથે ચેડા કરાઈરહ્યા છે. કમિટીના મોટાભાગના સભ્યોએ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે લેવાઈ રહેલા પગલાં બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.
Recent Comments