ગણેશ ઉત્સવ અને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ના કાયદાની કલમ-૩૭ (૧), ૩૭(૩), અને ૩૩ અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી શસ્ત્રો, દંડા, તલવાર, બંદૂક વગેરે જેવા હથિયારો લઈ જવાની, સ્ફોટક પદાર્થો લઈ જવાની, વ્યક્તિઓના પૂતળા દેખાડવાની અને છટાદાર ભાષણ આપવા જેવા કૃત્યો પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના કોઈ સભા, મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી વિના લાઉટ સ્પીકર વગાડવાની મનાઈ ફરમાવવામાં આવે છે. ફરજ પર હોય તેવા પોલીસ તથા હોમગાર્ડ સહિતના સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારી તથા અધિકારીઓને ઉપરાંત શારીરિક અશક્તિના કારણે લાકડી લઈને ફરવું જરૂરી છે તે વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.
અમરેલી જિલ્લામાં તા.૧૨ સપ્ટેમ્બર સુધી સભા-સરઘસ હથિયારબંધી

Recent Comments