રાજ્યમાં દુબઈ જવાથી મોત થવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જે ખુબજ ચિંતાજનક છે, આણંદના મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર જણાના કરુણ મોત થયા હતા. આ બનાવને પગલે મૃતકોના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.આણંદના ખાનપુર પાસે આવેલી મહિસાનગર નદીમાં આ કરૂણ ઘટના બની હતી. જેમાં બે મહિલા અને બે યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા.બીજીતરફ પાણીનાં ઉંડાણનો અંદાજ ન આવતા ચારેય જણા ડૂબી ગયા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા ખંભોલજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી લાંબી શોધખોળ બાદ ચારેયના મુતદેહો બહાર કાઢ્યા હતા. આ કરૂણ બનાવને પગલે આખ વિસ્તારમાં શોકની લાગણી જોવા મળી હતી.
આણંદના મહિસાગરમાં નદીમાં ડૂબી જવાથી ચાર જણાના કરુણ મોત


















Recent Comments