ગુજરાત

કોરોના વાયરસના કારણે લગ્નગાળા છતાં સોનાના વેપારમાં મંદી

કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતા સોનાનો વેપાર પણ પ્રભાવિત થઈ રહ્યો છે. હાલમાં ગુજરાતમાં કોરોનાની સૌથી વધુ અસર સુરતમાં છે અને આ જ કારણે સુરતમાં સોનાનો વેપાર મંદ પડી ગયો છે. સુરતના સોનીઓ કહી રહ્યા છે કે કિંમતો ઘટવા છતાં વેચાણ નથી થઈ રહ્યુ. લગ્નની સિઝન છે પરંતુ લોકો ખરીદી કરવા ઓછા આવી રહ્યા છે. શહેરના એક સોનીએ કહ્યુ, ‘કોરોનાના કેસ વધવાના કારણે લોકો સોનુ ઓછુ ખરીદી રહ્યા છે. છેલ્લા ૪-૫ દિવસથી વેપારમાં ઘટાડો થયો છે.’


આ પહેલા માર્ચના મહિનામાં સોનુ સસ્તુ થવાથી ગુજરાતમાં લોકોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત ગુજરાતના સુરતમાં સોનુ ઘણુ સસ્તુ થઈ ગયુ હતુ. સોનાના ભાવમાં આવેલા ભારે ઘટાડાના કારણે લોકોમાં ખરીદીનો ક્રેઝ વધી ગયો હતો. એવામાં મોટી સંખ્યામાં લોકો સોનાની ખરીદી કરવા પહોંચવા લાગ્યા. ગ્રાહકોની ભીડ જાેઈને સુરતમાં એક વેપારીએ કહ્યુ હતુ, ‘જ્યારે કોરોના મહામારી ફેલાવી શરૂ થઈ હતી ત્યારે સોનાના ભાવ ૩૭,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ હતા. જાે કે, ત્યારબાદ તે વધતા ગયા. અહીં સુધી કે કિંમત ૫૦,૦૦૦ રૂપિયાને પાર જતી રહી હતી. પરંતુ પછી માર્ચ ૨૦૨૧માં સોનુ સસ્તુ થઈ ગયુ.

વળી, માર્ચના પહેલા દિવસોમાં ૨૩ કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત ૪૪૪૨૨ રુપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગઈ હતી. ૨૨ કેરેટવાળા સોનાના ભાવ સપ્તાહના છેલ્લા કારોબારી દેવસે ૪૦૮૫૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ગયા. જ્યારે ૧૮ કેરેટવાળા સોનાના ભાવ ૩૩૪૫૧ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યા. આ પહેલા ફેબ્રુઆરીમાં સોનુ ૩૦૦૦ રૂપિયા સુધી ઘટ્યુ હતુ.’

Related Posts