ગુજરાત

ગાંધીનગર જિલ્લામાં વરસાદના કારણે વિકાસ કામો અટવાયા અને પ્રજા પરેશાન


ગુજરાત સહિત ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ચારેકોર વરસાદી પાણી ભરાયાની માહિતી મળે છે અને સરકાર દ્વારા તેમજ તંત્ર ચારે બાજુ વિકાસ કામો કરી રહી છે તેમાં પણ અધવચ્ચે કામો પડી રહ્યા છે કારણ કે ચોમાસાના અતિભારે વરસાદના કારણ પાણી ભરાઈ જતાં કામો અટવાઈ ગયા છે એક બાજુ ગાંધીનગરમાં ગ-૪ પાસે બનાવવામાં આવનાર અન્ડરપાસના ખાડા ખોદી દેવામાં આવ્યા હતા કામ ચાલુ હતું ત્યાં ભારે વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ જતાં કામ અટવાઈ ગયું હતું તેવી જ રીતે ચોમાસાની સિઝનમાં જ અહીં ચાલી રહેલી પાર્કિંગની કામગીરીથી પણ વેપારીઓ પરેશાન થઈ ગયા છે. કામગીરી માટે ખોદાયેલા ખાડા અને ક્યાંક યોગ્ય પુરાણના અભાવે લોકોને ભારે હાલાકી પડી રહી છે. ભારે હાલાકીઓ વચ્ચે અનેક ગ્રાહકો માર્કેટમાં આવવાનું ટાળી દે છે. જેને પગલે હવે તો વેપારીઓમાં પણ ચર્ચા છે કે વેપાર-ધંધા પર માઠી અસર બેસાડવામાં કોરોનાએ બાકી રાખેલી કસર કોર્પોરેશન તંત્રએ પૂરી કરી દીધી છે.

સત્તા આગળ ‘સત્તા આગળ શાણપણ નકામું’ કહેવતને જાેતા વેપારીઓ ગંદકી, ભરાતા પાણી, ખાડા, પાર્કિંગની કામગીરી સામે અવાજ નથી ઉઠાવી શકતા.ગાંધીનગરના સેક્ટર-૨૧ માર્કેટના હાલ બેહાલ થઈ ગયા છે. ચોમાસાની સિઝનમાં હાલ એક તરફ ભરાયેલા પાણી, કાદવ-કીચડ, ગંદકીના કારણે અનેક વેપારીઓના હાલત કફોડી બની ગઈ છે. સ્માર્ટસિટી ગાંધીનગરના સૌથી મોટા ગણાતા આ માર્કેટમાં અનેક સ્થળે પાણી ભરાઈ રહે છે. શાકમાર્કેટની અંદર પણ પાણી ભરાય છે તો જાહેરમાં મુકેલી કચરાપેટીની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાયેલી નજરે પડે છે. અહીં ઉભરાયેલી ગટરના પાણીની લીલ જાણી જતાં અસહ્ય દુર્ગધ આવતા લોકો પરેશાન થઈ ગયા છે. આના કારણે ગાંધીનગર જિલ્લામાં રોગચાળો ફાટ્યો હોય તેવું જણાય છે કારણે કે જિલ્લામાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ તાવ, શરદી જેવી સામાન્ય રોગોનો રાફડો ફાટ્યો છે આ અંગે તંત્ર કોઈ યોગ્ય કાર્યવાહી કરશે.

Related Posts