જામનગરમાં સરદાર પટેલના જન્મદિવસની તારીખ ૩૧ ઓક્ટોબરના રોજ ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરુપે અધિક નિવાસી કલેક્ટર બી. એન. ખેર સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે શપથ લીધા હતા. જામનગરમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ કચેરીઓમાં “રાષ્ટ્રીય એકતા દિવસ શપથ” લેવામાં આવનારી છે. જેના ભાગરૂપે આજરોજ કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટર બી. એન. ખેર, અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અને યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ લીધા હતા.
જામનગરમાં ૩૧ ઓક્ટોબરે કલેક્ટર કચેરી ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ” પર શપથ લેવાશે

Recent Comments