અમરેલી

“જેને ઉડવું જ છે ને તેને પાંખો ફૂટે “

સુરત “જેને ઉડવું જ છે ને તેને પાંખો ફૂટે”

આ કહેવતને સાર્થક કરતા દિવ્યાંગ વ્યક્તિ મનોજભાઈ ભીંગારે કે જેઓએ બાળપણમાં જ પોતાના બંને હાથ ગુમાવ્યા પછી નાસીપાસ થઈ લાચારી ભર્યું જીવન જીવવાને બદલે પોતાના પગ અને મોં વડે ચિત્ર દોરવાનું ચાલુ કર્યું જોતજોતમાં તેઓએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે તેમજ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી તેમજ અસંખ્ય મહાનુભાવોના હસ્તે એવોર્ડ મેળવ્યા છે.

દિવ્યાંગ મનોજભાઈ ભિગારે દ્વારા કમલપાર્ક સોસાયટી ખાતે આવેલ અર્ચના વિદ્યા નિકેતન શાળામાં સતત ૧૫ કલાક સુધી ચિત્રો દોરી વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો જેથી તેઓને સમસ્ત માનવ સમાજ હૃદય પૂર્વકના અભિનંદન સહ ઢગલાબંધ શુભકામનાઓ પાઠવે છે…

Related Posts