ખેડાના તોફાની તત્વોને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસકર્મીઓની મુશ્કેલી વધી શકે છે. પોલીસકર્મીઓની સમાધાનની ઓફર ફરિયાદી યુવકોએ ફગાવી દીધી છે. ફરિયાદી વતી વકીલ આઇ એચ સૈયદે કોર્ટને આ અંગેની માહિતી આપવામાં આવી છે. તમામ આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઇ શકે છે. મહત્વનું છે કે ખેડામાં પોલીસકર્મીઓએ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. જે પછી પોલીસ કર્મીઓ સામે કેસ થયો હતો. ત્યારે ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જાે કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી. ઉલ્લેખનીય છે કે ૪ પોલીસકર્મીઓ વિરૂદ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો.
તોફાની તત્વોને જાહેરમાં માર મારવાના કેસમાં ફરિયાદીઓએ સમાનાધની ઓફર ફગાવી

Recent Comments