ગુજરાત

નવસારીમાં કમિશન વધારવાની માંગને લઈને દ. ગુજરાતના CNG પમ્પ બંધ રહ્યા

ઝ્રદ્ગય્ ના વેચાણમાં કમિશન વધારવાની માંગ સાથે આજે દક્ષિણ ગુજરાતના પંપ સંચાલકો ૨૪ કલાક માટે ગેસ નું વેચાણ બંધ રાખ્યું છે. જેને કારણે રીક્ષા ચાલકોને ફોરવ્હીલર વાહન ચાલકોને આજે મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેમાં સૌથી વધુ મુશ્કેલી એવા રીક્ષા ચાલકોને થશે કે જેમણે અગાઉથી પેટ્રોલની ટાંકી કઢાઈ નાખી છે અને માત્ર સીએનજી ઉપર જ તેવો વાહન હાજે છે. ઇંધણમાં સૌથી સસ્તો વિકલ્પ તરીકે ઝ્રદ્ગય્ વર્ષોથી વપરાય છે. ઝ્રદ્ગય્ પમ્પ સંચાલકોએ કમિશન વધારવાની માંગને લઈને પ્રતિકાત્મક રીતે ૨૪ કલાક માટે ઝ્રદ્ગય્ પમ્પ બંધ રાખવાનો ર્નિણય કર્યો હતો.

જેની સીધી અસર એવા વાહન પર થઈ છે જે માત્ર ઝ્રદ્ગય્ પર ચાલે છે.જેમાં તેમણે આજે ૨૪ કલાક અંતર્ગત ૮૦૦ થી લઈને ૧૦૦૦ સુધીનું નુકસાન સેવવાનો વારો આવ્યો છે. ઝ્રદ્ગય્ વાહનમાં મુખ્યત્વે રીક્ષા અને સ્કૂલ ચાલતા હોય છે જેમને આજે સીધી અસર થઈ છે અગાઉથી જાણ ન હોવાને કારણે રિક્ષાચાલકો પંપ પહોંચતા તેમને એક દિવસ માટે બંધ હોવાની જાણ થતા તેઓ એ રીક્ષા પંપ બહાર મૂકી દેવાનો વારો આવ્યો છે કારણ કે કેટલાક રીક્ષા ચાલકોએ અગાઉથી પેટ્રોલ ની ટાંકી કઢાઈ નાખી છે જેમને આજે વધુ મુશ્કેલી પડશે.

Related Posts