૫ સપ્ટેમ્બરનો દિવસ કોઈપણ પરિચય પર નિર્ભર નથી. દર વર્ષે આ દિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જ વ્યક્તિને જીવનમાં સફળતાના શિખરે લઈ જાય છે. શિક્ષકના આશીર્વાદથી જ આપણે અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધીએ છીએ. શિક્ષક દિવસ પર વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો ને આદર આપીને તેમનો આભાર વ્યક્ત કરે છે. આ દિવસે ભારતમાં ભારતના રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
તા. ૦૫ સપ્ટેમ્બર ના રોજ પી.પી.એસ.હાઇસ્કુલ વંડા શાળામા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મદિન પર સ્વયં શિક્ષક દિન ની શાનદાર ઉજવણી કરવામા આવી. જેમા ૭૦ વિધાથી ભાઇ બહેનોઓએ ભાગ હતો. હીરેનભાઇ ડાભી તેમજ ઓઝા ભાઈ દ્વારા દ્રષ્ટાંત સાથે શિક્ષકનું જીવનમા મહત્વ સમજાવ્યું હતુ. બાળકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા તથા શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે શિક્ષકની ભૂમિકા સમજાવી હતી. સહુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર શિક્ષણ કાર્ય માં ભાગ લઇ આ પર્વની ઉજવણી કરી હતી.
Recent Comments