ગુજરાત

પુરુષોત્તમ રૂપાલાએ નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ પર પ્રતિક્રિયા આપી, કોઈપણ કાર્યકર્તા કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે

નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઈને એક પછી એક પાર્ટીના મોટા નેતાઓ ના નિવેદનો સામે આવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીએ પહેલાથી જ નરેશ પટેલને તેમની પાર્ટીની અંદર જોડાવા માટે આહવાન આપી દીધું છે.  નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશી રહ્યા છે આ વાતને લઇને મીડિયા સમક્ષ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે,  કોઈપણ કાર્યકર્તા કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજકીય પાર્ટી માં પ્રવેશ કરો એ દરેક નાગરિકનો અધિકાર છે. સમજદાર નાગરિકોએ રાજકારણમાં જોડાવવું જોઇએ રાજકારણ એ કિનારે ઊભા રહીને જોવા જેવો ખેલ નથી રાજકારણમાં અંદર ઊતરવાની મજા છે.   નરેશ પટેલે રાજકારણમાં આવવાને લઈને કહ્યું આ એક મોટી વાત છે, અમારો સમાજ મોટો છે. રાજકારણમાં આવવાને લઈને થોડા સમયની રાહ છે. આગામી સમય નક્કી કરશે જ. પાટીલે કહ્યું હતું કે, નરેશ પટેલ સાથે મારે અવરા નવાર વાત થતી હોય છે તેમને રાજકારણમાં આવવાને લઈ અને કયા પક્ષમાં જોડાશે તેને લઈને કોઈ નિર્ણય હજુ સુધી નથી લીધો.    પાટિલે પણ ગઈ કાલે તમારી સાથે વાત ચીત થયા કરે છે આ વાતનો પ્રત્યુતર આપતા પટેલે કહ્યું કે, તેમની સાથે વાત થાય જ છે. સાથે બીજેપી આપે છે એ વાતના જવાબમાં કહ્યું દરેક સાથ આપે, મીડિયા પણ સાથ આપે જ છે.   નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેને લઈને હવે આગામી 10 દિવસમાં નિર્ણય લઇ શકે છે. 

Related Posts