રાષ્ટ્રીય

બિહારના ખુલાસાથી વધ્યો મૃતકઆંક, ઘટતા કોરોના કેસો સામે કલાકમાં જ રેકૉર્ડબ્રેક ૬,૧૪૮ લોકોના મોત

ભારતમાં ગુરૂવાર એટલે કે ૧૦ જૂન, ૨૦૨૧ના એક જ દિવસના સમયગાળામાં કોરોના વાયરસ સંક્રમણના કુલ ૯૪,૦૫૨ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૧૪૮ લોકોના મોત થયા છે. બિહારે પોતાના મોતના આંકડાઓમાં સંશોધન કર્યું છે, ત્યારબાદ મોતની સંખ્યા ૬,૦૦૦ પાર પહોંચી ગઈ છે. કોરોનાથી એક દિવસમાં થનારા મોતનો આ સૌથી ઊંચો આંકડો છે. આ સાથે જ દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા ૨,૯૧,૮૩,૧૨૧ થઈ ગઈ છે.

દેશમાં કોવિડ-૧૯ના કુલ એક્ટિવ કેસ ૧૧,૬૭,૯૫૨ છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૧,૩૬૭ લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૪.૬૯ ટકા છે. આવું સતત ત્રીજા દિવસે થયું છે, જ્યારે ભારતમાં ૫ ટકાની નીચે પોઝિટિવ નોંધાયો છે. ૨૪ કલાકમાં કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિનના ૩૩,૭૯,૨૬૧ ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી દેશમાં વેક્સિનના ૨૪,૨૭,૨૬,૬૯૩ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૦૪,૬૯૦ લોકોના કોરોના ટેસ્ટિંગ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-૧૯ વેક્સિનના ૨૫,૦૬,૪૧,૪૪૦ ડોઝ મફતમાં આપ્યા છે. ઉલ્લેખનીય છે કે બુધવારના રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે રાજ્યમાં કોરોનાથી કુલ મોતના આંકડાઓમાં સંશોધન કર્યું જેનાથી આ મહામારીમાં મરનારાઓની સંખ્યા ૯૪૨૯ થઈ ગઈ, જે મંગળવારના ૫૪૫૮ હતી. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે કોરોના વાયરસ સંક્રમણથી બુધવાર સુધી મૃત્યુ પામનારાઓની સંખ્યા ૫૪૭૮ની સંખ્યા ઉપરાંત સંશોધન બાદ વધારે ૩૯૫૧ લોકોના મોતના આંકડાને જાેડવામાં આવ્યો.

Related Posts