અમરેલી

ભાવનગર લુણીધાર ટ્રેન ને ખીજડિયા જંકનશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર

ભાવનગર લુણીધાર ટ્રેન નવી શરૂ થતાં લીલી ઝંડી આપી  તેનું પ્રસ્થાન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે ખીજડિયા જંકશન થી કરાવ્યું અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૬/૭માં જ્યારે સાંસદ હતો ત્યારે કેન્દ્ર સરકારની રેલવે બજેટમાં બ્રોડગેજમાં રૂપાંતર કરવા મુકવામાં આવી હતી અને આજે ધારાસભ્ય તરીકે તે વખતનું સપનું પૂરું થતા ગૌરવની લાગણી અનુભવું છું તેઓએ વિશેસમાં જણાવ્યું હતું કે લુણીધાર ભાવનગર નવી ટ્રેન શરૂ થતાં સવારે અને સાંજે ભાવનગર અમરેલી જવા માટે બને જિલ્લાની જનતાને ખુબજ ઉપયોગી સાબિત થશે  આ તકે લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,જીતુભાઇ વાળા, લાઠી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુરેશભાઈ ગોયાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ વિપુલભાઈ પોકીયા ભરતભાઇ લાડોલા,ઇમરાનભાઈ સેતા, ખીજડીયા ગામના સરપંચશ્રી પૂર્વ સરપંચ શ્રી સહિત સ્થાનિક ગામના લોકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related Posts