જાે ગામમાંથી કોઈ વ્યક્તિ નશો કરે તો ગામના લોકો તેમને પોલીસને સોંપી દેતા નથી. તેને “ગામના પાંજરામાં પૂરે છે સમુદાયના આગેવાનો તરફથી સામાજિક બહિષ્કાર કરવામાં આવશે તેમ ચેતવામાં આવે છે. રાતોરાત પાંજરામાં બંધ રહેવાથી, સંબંધિત વ્યક્તિ શરમથી ફરી ભૂલ ન કરે અને દારૂથી દૂર રહે. મહિલાઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ ગામના વડીલોએ આશ્ચર્યજનક દરોડા પાડ્યા. જાે કોઈ વ્યક્તિ નશો કરે છે, તો તેને રાત માટે પાંજરામાં બંધ રાખવામા આવે છે. તેને પાંજરામાં પાણીની માત્ર એક બોટલ આપવામાં આવે છગુજરાતમાં પહેલેથી જ દારૂબંધીનો કાયદો છે, પણ તેમ છતાં આપણા રાજ્યમાં ઘણી જગ્યાઓ પર ચોરીછૂપીથી દારૂનું વેચાણ થાય છે. સરકારે પણ દારૂબંધીને લઈને ઘણા કડક કાયદાઓ અને નિયમો બનાવ્યા, ઘણા અભિયાનો ચલાવ્યા પણ આ એક એવું દુષણ છે કે જે જવાનું નામ નથી લેતું. ત્યારે આવા સમયે રાજ્યમાં એક એવું ગામ પણ છે કે જ્યાના લોકોએ દારૂબંધીના ચુસ્તપણે અમલ માટે અનોખો રસ્તો શોધી કાઢ્યો છે. આ ગામના લોકો પીને ગામમાં નીકળતા વ્યક્તિને જાતે જ સજા કરે છે અને જેલમાં નાખે છે. અમદાવાદમાં આવેલા આ ગામનું નામ મોતીપુરા છે જ્યાં દારૂ પીનારાઓ પર દંડ ફટકારવામાં આવે છે અને તેમને સજા તરીકે રાતોરાત પાંજરામાં રાખવામાં છે. સાણંદથી ૭ કિમી દૂર મોતીપુરા ગામ દારૂબંધીની દુર્ઘટનાનો સામનો કરી રહ્યું હતું. ગામમાં ઓછામાં ઓછી ૧૦૦ જેવી મહિલાઓના પતિ દારૂ પીવાને કારણે મૃત્યુ પામ્યા હતા અને તેઓ વિધવા બની હતી. લોકોને દારૂ પિતા બંધ કરવવા માટે સમાજના લોકોએ એક અનોખી પહેલ શરૂ કરી હતી. જેમાં મહિલાઓની મદદ લેવામાં આવી હતી. ગામમાં પાંજરાની વ્યવસ્થા કરવામાં આવી હતી. દારૂ પીનાર વ્યક્તિને આખી રાત પાંજરામાં કેદ કરવામાં આવે છે. તદુપરાંત તેના પર ૧૨૦૦ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હોત, જે હવે વધારી દેવામાં આવ્યો છે. મોતીપુરા ગામમાં પાંજરામાં પૂરવાની સફળતાએ અન્ય ગામોને પણ પ્રેરણા આપી છે. હવે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લાના ૨૩ થી વધુ ગામોએ આ સામાજિક પ્રયોગ અપનાવ્યો છે. દંડની રકમ વધારીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવી છે જેનો ઉપયોગ સ્થાનિક સામાજિક કાર્યો માટે થાય છે. આ અનોખા સામાજિક પ્રયોગની શરૂઆત નાટ બજાણીયા સમાજના આગેવાન અને મોતીપુરા ગામના સરપંચ બાબુ નાયકે કરી હતી. નાયકે કહ્યું કે હાલમાં ૨૪ ગામોએ આ પ્રયોગ અપનાવ્યો છે. આમાંના મોટાભાગના ગામોમાં સરેરાશ ૧૦૦ થી ૧૫૦થી વધુ મહિલાઓ પતિના દારૂના વ્યસનના કારણે વિધવા બની હતી. હવે આ અનોખી પહેલની સફળતા પાછળ મહિલાઓનો મુખ્ય હાથ છે. પુરુષોનું વ્યસન ઓછું કરવા માટે મહિલાઓ જ માહિતી આપે છે કે ક્યો પુરુષ દારૂનું સેવન કરે છે. માહિતી આપનારી મહિલાઓની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે અને દંડ તરીકે વસૂલવામાં આવેલી રકમમાંથી ૫૦૧ અથવા ૧૧૦૦ રૂપિયા માહિતી આપનારી મહિલાને ઈનામ તરીકે આપવામાં આવે છે.
મોતીપુરા ગામમાં જાે કોઈ દારૂ પીવે તો એને પ્રાણીના પાંજરામાં પુરવામાં આવે છે

Recent Comments