સિદ્ધુ મુસેવાલાની ૨૯ મેના રોજ ગોળીઓ ચલાવીને હત્યા કરવામાં આવી હતી. સિદ્ધુ મુસેવાલાના નિધનથી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેનું નામ પંજાબી ભાષાના ટોચના ગાયકોમાં સામેલ છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ અત્યાર સુધીમાં અસલી કાતીલોને પકડી શકાયા નથી. તો પરિવારજનોને હજુ વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેમનો લાડકો આ દુનિયામાં નથી રહ્યો. તેનાં ગીતોએ તેને અમર કરી દીધો છે. મૂઝવાલાની ટીમે તમામ મ્યુઝિક લેબલ અને નિર્માતાઓને તેમના અધૂરા અને રિલીઝ ન થયેલા ગીતો પરિવારને સોંપવા વિનંતી કરી છે. ટીમનું કહેવું છે કે તેમના ગીતોનું શું કરવું તે તેમના પિતા અથવા નજીકના સંબંધીઓ પર ર્નિભર રહેશે. દરમિયાન, સિદ્ધુ મૂઝ વાલાના મૃત્યુના લગભગ એક મહિના પછી, તેનું રિલીઝ ન કરાયેલ ટ્રેકલિસ્ટનું પ્રથમ ગીત આજે બહાર આવ્યું છે. ‘જીરૂન્’ નામનું આ ગીત સિદ્ધુની પોતાની ચેનલ પર સાંજે ૬ વાગ્યે રિલીઝ થશે. આ ગીતને લઈને તેના ચાહકોએ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે.
બધાએ મૂઝવાલા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. જણાવી દઈએ કે આ માહિતી સિદ્ધુ મૂઝવાલાની ટીમે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. સિદ્ધુ મૂઝવાલાની ઑફિશિયલ યૂટ્યૂબ ચૅનલ પર પોસ્ટર શૅર કરતાં લખ્યું હતું કે- “જીરૂન્ ઇઈસ્ર્ંઇઇર્ંઉ ્ર્ંસ્ર્ંઇઇર્ંઉ ૬ ઁસ્ ૈંજી્ ફક્ત સિદ્ધુ મૂઝવાલાની ઑફિશિયલ ર્રૂે્ેહ્વી ચેનલ પર. આ વીડિયોને રિલીઝ થયે માત્ર ૧૫ કલાક થયા છે અને તેને દોઢ કરોડથી વધુ વ્યૂ મળી ગયા છે. ઉપરાંત ૨.૩ મિલિયન લાઇક્સ મળી છે જ્યારે એક પણ ડિસલાઇક મળી નથી. મૂસેવાલાનો આ વીડિયો સતલજ યમુના લિંક (જીરૂન્) કેનાલનો મુદ્દો દર્શાવે છે. આ ગીતના બોલ સિદ્ધુએ લખ્યા છે. આવાઝ તો મૂઝવાલા કી હૈ, ગીતની થીમ અનુસાર, તે નદીના પાણી પર પંજાબ રાજ્યના અધિકારો અને આ આંદોલન માટે જેલમાં બંધ કેદીઓ પર આધારિત છે. આ ગીત સિદ્ધુ મૂઝવાલાના મૃત્યુ પછી રિલીઝ થયેલું પહેલું ગીત છે. ગીતમાં કેટલીક મૂવમેન્ટ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો દ્વારા પ્રતિબિંબિત થાય છે.
Recent Comments