ગુજરાત

રાજ્યના ગામડાંઓમાં ઝડપથી કોરોના સંક્રમણ ચિંતાજનક બાબત છે

કોરોનાની બીજી લહેર અતિ ભયંકર છે ઝડપથી કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે. રાજ્યના ૨૦ શહેરોમાં કફર્યુ લગાવવામાં આવ્યા છે. અને નાના-મોટા ગામડાંના લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં છે. જાે કે ડરની વાત એ છે કે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યો છે જેમાં આ વખતે ગામડાં પણ બાકાત નથી, જે ચિંતાજનક બાબત છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ વણસી છે, કોરોના સંક્રમણ શહેરો મારફતે ગામડામાં ફેલાઇ રહ્યો છે. જે સરકાર માટે ચિંતાજનક બાબત છે. કોરોનાના ભયથી રાજ્યના અનેક ગાંમડાઓએ પણ સ્વૈચ્છિક લોકડાઉન લગાવી દીધું છે.
રાજ્યના મહાનગરોમાં કોરોના કેસો વધવાની રફતાર ડબલ સ્પીડની છે, કોરોનાના લીધે અમદાવાદ અને સુરતમાં મૃત્યુદર પણ વધારે વધી રહ્યો છે. વડોદરા, જામનગર અને રાજકોટની હાલતમાં ખુબ ખરાબ છે.

ગાંધીનગરમાં પણ કોરોનાની સ્થિતિ ભયજનક છે અહીંયા તો ગામડાંના કેસો ખુબ આવી રહ્યાં છે. પહેલા સિંગલ આંકડામાં કેસો નોંધાતા હતાં. પરતું હવે ડબલ ડીજીટમાં કેસો નોંધાઇ રહ્યાં છે. ગાંધીનગરના ખોરજ ગામમાં એક જ દિવસમાં ૨૦૦ કેસો સામે આવતાં ગામાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. ગામડાંઓ પણ હવે સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યાં છે.

ગામડાંમાં કેસો વધતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૃરી પગલાં લેવામાં આવશે. ટેસ્ટીંગ અન વેકસીન માટે કવાયત હાથ ધરવામાં આવશે. આરોગ્ય કર્મીઓ દરેકના ઘરનું સર્વેક્ષણ કરશે અને સીએચસી અને પીએચસીમાં ૧૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી જાેઇએ.

Related Posts