રાષ્ટ્રીય

રાશન વિતરણમાં ભ્રષ્ટાચારનો મામલે મમતા બેનેર્જીના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ) એ પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી છે. એક દિવસના દરોડા પછી રાશન વિતરણમાં ભ્રષ્ટાચારના કથિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકના ઘર પર દરોડા પાડ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)એ મોડી રાત્રે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલો રાશન વિતરણમાં કૌભાંડનો છે અને આ મામલે ધરપકડ પર મંત્રી જ્યોતિપ્રિયા મલિકે કહ્યું કે તે મોટા ષડયંત્રનો શિકાર બન્યા છે.. ઈડ્ઢના અધિકારીઓએ કેન્દ્રીય દળની ટીમની મદદથી કોલકાતામાં રાજ્ય વન મંત્રી જ્યોતિપ્રિયા મલિકના બન્ને ઘરો પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે તપાસ એજન્સીએ મધ્ય કોલકાતામાં એમહર્સ્ટ સ્ટ્રીટ સ્થિત તેમના પૈતૃક ઘરની પણ તપાસ કરી.

જ્યોતિપ્રિયની ધરપકડ બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે બપોરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે મલિકની તબિયત ખરાબ છે. તેણીએ ચેતવણી આપી હતી કે જાે રહેઠાણોની તપાસ દરમિયાન મલિકને કંઈ થશે તો તે ભાજપ અને ઈડી સામે પોલીસ કેસ કરશે. મમતા બેનર્જીએ વિપક્ષી નેતાઓ સામે ઈડ્ઢના દરોડાને ભાજપ દ્વારા ગંદી રાજકીય રમત ગણાવી હતી.. તમને જણાવી દઈએ કે આ કૌભાંડ જાહેર વિતરણ પ્રણાલી અને કોવિડ-૧૯ના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન અનાજના વિતરણમાં થયેલી ગેરરીતિઓ સાથે સંબંધિત છે. દરોડા દરમિયાન મંત્રીના ઘણા દસ્તાવેજાે જપ્ત કરવામાં આવ્યા હતા અને બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે દમદમ વિસ્તારમાં મલિકના ભૂતપૂર્વ અંગત સહાયકના ઘરો અને બેલીઘાટા અને બસડ્રોની સહિત કેટલાક અન્ય સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું.. જાે કે આ બધા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્ય મંત્રી શશિ પંજાએ મલિકના ઘરો પર દરોડાની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજયાદશમીના અવસર પર આ બંગાળની સંસ્કૃતિ પર હુમલો છે. આ કંઈ બદલાની રાજનીતિ નથી. અમે જાેયું છે કે દુર્ગા પૂજા પહેલા, જ્યારે અમે મનરેગાના ભંડોળની છૂટની માંગ સાથે વિરોધ કરી રહ્યા હતા ત્યારે અમારા નેતાઓના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા.

Related Posts