સમગ્ર દેશમાં આજે એટલે કે ૭ ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મોટા પડદા પર દેખાતા એક્ટર્સના પણ મિત્રો હોય છે. તેમાંથી તમે ઘણા એક્ટર્સની મિત્રતા વિશે જાણતા હશો પરંતુ આજે અમે તમને બે એવા દિગ્ગજ મિત્રો વિશે વાત કરવાના છીએ. આ બે મહાન હસ્તિઓ બીજી કોઈ નહીં સાઉથ સિનેમાના થલાઈવા રજનીકાંત અને બોલિવૂડના દમદાર એક્ટર અનુપમ ખેર છે. બંને મિત્રતાની મિસાલ આપતા જાેવા મળે છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત કરી અને એક જ ફ્રેમમાં ફોટો ક્લિક કરાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અનુપમ ખેરે તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘મારા મિત્ર રજનીકાંત જેવું કોઈ હતું નહીં, કોઈ છે નહીં અને કોઈ થશે નહીં. તમને મળીને આજે બહુ જ સારું લાગ્યું. જય હો.’ એક્ટરે થલાઈવા સાથે મુલાકાત ફ્રેન્ડશિપના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં કરી છે. હવે રાષ્ટ્રપતિ ભવનથી બંને દિગ્ગજાેની તસવીર સામે આવી છે. તેમાં બંને એકબીજાની સાથે જાેવા મળી રહ્યા છે. આ તસવીર પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. મહિમાએ કહ્યું હતું કે તેના ફેવરિટ હીરો એક જ ફ્રેમમાં. દર્શન કુમારે કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી. રજનીકાંત અને અનુપમ ખેરનો ફોટોઝ રાષ્ટ્રપિત ભવનનો છે.
બંને એક્ટર્સે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા આઝાદીના અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. બધા લોકો આ બંને દિગ્ગજને એક જ ફ્રેમમાં જાેવા માટે ઉત્સુક હતા. અનુપમ ખેર ફિલ્મ ‘ઇમરજન્સી’માં કંગના સાથે જાેવા મળશે. આ ફિલ્મમાં અનુપમ ખેરે જય પ્રકાશ નારાયણની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘ટાઇગર નાગ્શેવર રાવ’માં રવિ તેજા સાથે જાેવા મળશે. રજનીકાંત ‘જેલર’માં જાેવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં હૈદરાબાદમાં શરૂ થશે. છેલ્લે તેઓ ‘અન્નાથે’માં જાેવા મળ્યા હતા.
Recent Comments