અમરેલી

લાઠી તાલુકાના દામનગર નગરપાલિકા વિસ્તારમાં ઈ.વી.એમ નિદર્શન યોજાયું

અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન કચેરી દ્વારા માધ્યમથી ફાળવવામાં આવેલા નિદર્શન રથ જિલ્લાના વિવિધ તાલુકામાં પરિભ્રમણ કરી રહ્યા છે. લાઠી તાલુકાના દામનગર નગરપાલિકા વિસ્તારમાં ઈ.વી.એમ. નિદર્શન યોજાયુ હતુ. દામનગરના નાગરિકોને ઈ.વી.એમ. અને વી.વી.પેટ મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. અમરેલી લોકસભામાં સમાવિષ્ટ મતવિસ્તારના નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. સ્વસ્થ લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે.

Related Posts