વડોદરામાં સાંકરદા ભાદરવા રોડ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં વધુ ૨ના મોત થયા છે. સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મોતનો આંકડો ૭ પર પહોંચ્યો છે. અકસ્માતમાં ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આણંદથી ભાદરવા બાબરી પ્રસંગે લોકો આવી રહ્યા હતા.
શું હતી સમગ્ર ઘટનાઃ- આજે વહેલી સવારે બની હતી સાવલીના ભાદરવા સાંકરદા રોડ પર ટ્રક અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ ઈજાગ્રસ્ત તમામ લોકો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેમાંથી ગઈકાલે સવારે ૧ વ્યક્તિ બાદ ફરી ૪ લોકોના મૃત્યુ થયા હતા.
Recent Comments