રાષ્ટ્રીય

શું તમે જાણો છો હાઇવે પર લાગનારો ટોલ કેવી રીતે કેલક્યુલેટ થાય છે?

1 એપ્રિલ 2022થી હવે નેશનલ હાઇવે પર મુસાફરી કરવી મોંઘી બની ગઇ છે. NHAIએ ટોલ ટેક્સમાં 10 રૂપિયાથી 65 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. ટોલમાંથી પ્રસાર થનારા વાહનોને પહેલાના મુકાબલે 10 રૂપિયા અને ભારે કોમર્શિયલ વાહનોને પહેલાના મુકાબલે 65 રૂપિયા વધુ ટોલ ટેક્સ આપવો પડશે. ટોલ ટેક્સના વધેલા ભાવ વચ્ચે હવે લોકોના મનમાં સવાલ છે કે અંતે હાઇવે પર જે ટોલ વસૂલવામાં આવે છે તેની ગણના કેવી રીતે થાય છે.

લોકોના મનમાં સવાલ છે કે આ ક્યા આધાર પર નક્કી થાય છે કે ક્યા હાઇવે પર ગાડીઓને કેટલો ટોલ આપવો પડશે? તો આજે અમે તમને જણાવીએ કે અંતે ટોલ ટેક્સ ક્યા આધાર પર નક્કી થાય છે અને મોટી ગાડીઓનો ટોલ ક્યા આધારે વધુ હોય છે.

કેમ ટેક્સ લેવામાં આવે છે?

ટેક્સની ગણના કર્યા પહેલા તમને જણાવી દઇએ કે અંતે આ ટોલ ટેક્સ કેમ લેવામાં આવે છે. ભારતમાં દરેક રાજ્ય અને રાષ્ટ્રીય રાજમાર્ગ/ એક્સપ્રેસ વે પર રસ્તાના નિર્માણની સાથે સાથે સારસંભાળ માટે કરવામાં આવેલા ખર્ચને લઇને એક રકમ લેવામાં આવે છે. આ રકમને જ ટોલ કહેવામાં આવે છે અને આ એક રીતનો ટેક્સ છે. એક વખત રાજમાર્ગના ખર્ચ વસૂલ થઇ ગયા બાદ રસ્તાની સારસંભાળના ઉદ્દેશ્યથી 40 ટકાથી ઓછો દર લેવામાં આવે છે.

ક્યા આધાર પર નક્કી થાય છે ટેક્સ?

ટોલ ટેક્સ કેલક્યુલેટ કરવા પાછળ કેટલીક વસ્તુ જોવામાં આવે છે. ટોલ ટેક્સની ગણના માટે હાઇવેનું અંતર એટલે કે એક સ્ટ્રેચના અંતર પર નિર્ભર કરે છે. આ ખાસ કરીને 60 કિલોમીટરનું હોય છે અને તેના ઓછા અથવા વધુ હોવા પર ટેક્સમાં પણ તે હિસાબથી બદલાવ કરવામાં આવે છે. જેમાં જો આ અંતરમાં બ્રિજ, ટનલ અથવા બાયપાસ વગેરે સામેલ થાય છે તો તેનું ટોલ બદલાઇ જાય છે. આ સિવાય હાઇવેની પહોળાઇ, એ્ગ્રીમેન્ટ, એપ્લીકેબલ ફી, હાઇવેનો ખર્ચ અને ત્યાની સ્થિતિ પર આ નિર્ભર કરે છે.

દરેક ઘરનો અલગ કેમ ટોલ હોય છે

આ વાહનના આકારની સાથે સાથે તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા ભાર અને રસ્તાને થયેલા નુકસાન પર આધારિત હોય છે. વાહનના ઉપયોગના પ્રકારના આધાર પર પણ ટોલ ટેક્સ અલગ અલગ હોય છે.

Related Posts