સાવરકુંડલા શહેરમાં ગતરોજ પૂ. મહાત્મા ગાંધી અને પૂ. લલ્લુભાઈ શેઠને શ્રધ્ધાંજલી અર્પણ માટે યોજાયેલ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં સંગીત શિક્ષક સંજયભાઈ મહેતા અને સંગીતવૃંદ દ્વારા પ્રાર્થના ગીત અને ગાંધીભજન દ્વારા સ્મરણાંજલિ અર્પણ કરવામાં આવી તા.૩૦-૧-૨૪ પૂ લલ્લુભાઈ શેઠ સ્મૃતિ મંદિર ખાતે શહેરની તમામ સંસ્થાઓ દ્વારા આયોજિત પૂ.મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન અને સાવરકુંડલાના શિલ્પી પૂ.લલ્લુભાઈ શેઠની પુણ્યતિથિએ યોજાયેલ પ્રાર્થના સભામાં સંજયભાઈ મહેતા અને તેના સંગીતવૃંદમાં ગોસ્વામી મંત્ર , મિત હરિયાણી અને પીટીસી કોલેજની બહેનો ચૌહાણ પૂજા ,માંડવીયા કિંજલ , સાસલા પારૂલબેન , રાઠોડ ધૃવિકા , શેખ સૂજાન ,પરમાર ધર્મિષઠાએ પ્રાર્થનાગીત ગાંધી ભજનો રજૂ કરેલ
કાર્યક્રમમાં સ્વતંત્રસેનાનીઓ , શહેરની વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા ટૂંકમાં કહીએ તો સંજયભાઈ મહેતા પોતે લોકગીત, સુગમ સંગીત, ગઝલ, ભજન, બાલગીત, લગ્ન ગીત, જેવા અનેક ગીતના પ્રકારો પર સારી હથરોટી ધરાવતાં એક ઊંચા ગજાના સંગીતજ્ઞ પણ છે. એમના નીચે તૈયાર થનારા અનેક બાળકોએ સંગીત ક્ષેત્રે રાજ્યકક્ષા સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં જોવા મળે છે…સંજયભાઈ મહેતા હાલ સાવરકુંડલાની નૂતન કેળલણી મંડળ સંચાલિત શ્રી જે. વી મોદી હાઈસ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની કલાને માણવી એ પણ એક અલભ્ય લ્હાવો છે.
Recent Comments