બસ હવે નવલાં નોરતાંના પગરવ સંભળાય જવાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે સાવરકુંડલા શહેરમાં અનેક સ્થળોએ નવરાત્રિ જેની પહેચાન છે એ માટીના ગરબાનું વેચાણ થતું જોવા મળી રહ્યું છે. આમ તો બસ હવે આવતીકાલે જ નવરાત્રિના પાવન પર્વના સાંયમ કાળે માઁ ની આરાધના પૂજા, આરતી સાથે ગરબામાં માટીના કોડિયાંમાં ઘી પૂરી દીપ પ્રગટાવીને માઁ ની સન્મુખ આરતી કરવામાં આવે છે.
પહેલાના યુગમાં તો માત્ર માટીના ગરબા જ ઉપલબ્ધ હતાં. હાલ તો સિરામિક ઉદ્યોગને કારણે ચિનાઈ માટીના વિવિધ રંગો અને આકર્ષક ડીઝાઈનમાં ગરબાં બજારમાં વેચાણ અર્થે જોવા મળે છે. આમ તો આ ગરબાનું બઝાર પણ નવરાત્રિના પ્રથમ નોરતાં સુધીનું હોય છે. રૂપિયા પસાસ થી સો રૂપિયા જેવી કિંમતે ભાવિકો ગરબાની ખરીદી કરતાં જોવા મળે છે. જો કે માઁના ગીતોમાં તો સોનાનાં ગરબાની વાત આવે છે. પરંતુ આમજનતા માટે આજના યુગમાં સોનાની બઝાર ખૂબ ઊંચી હોય માટીના ગરબા જ સુલભ ગણાય છે. અહીં તસવીરમાં કિશોરભાઈ આંબલીયા નામના વ્યક્તિ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર લારીમાં ગરબા વેચતાં જોવા મળે છે. લગભગ પચાસ રૂપિયા જેવી કિંમતે ગરબા વેચાણ કરતાં જોવા મળે છે. જો કે તેમણે ગરબાની ઊંચી કિંમત અંગે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશન, ભાંગતૂટ તથા અમુક ગરબા વેચાણ ન થતાં બીજા વર્ષ માટે સાચવવા તેની જળવણી માટે યોગ્ય જગ્યા જોઈએ વગેરે બાબતો પર ધ્યાન રાખવું પડતુ હોય છે…એટલે કમસે કમ વ્યાજબી ભાવથી કેવીરીતે વેચવા? એ બાબતનો જવાબ ગ્રાહકો આગળ માંગ્યો હતો. આપણા દેશમાં એક કહેવત છે કે માલ સાથે જકાત અર્થાત્ નફો પણ વ્યાજબી હોવો જોઈએ.
માઁ ના નવલાં નોરતાંનાં પાવન પ્રસંગે સૌને જય માતાજી.
Recent Comments