ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે તેવામાં ભાજપ-કોંગ્રેસ અને આપ દ્વારા એક બીજા પર વાંક પ્રહાર ચાલુ છે તેવામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલએ એક નિવેદન કરી અને આપના સંસ્થાપક અને દિલ્હીના સી.એમ અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરી અને કટાક્ષ કર્યા હતા અને મોહલ્લા ક્લિનિક અને ફ્રી અંગેના આપના પ્રચાર કેમ્પેઇનને લઈને પ્રહારો કર્યા હતા.
સીઆર પાટીલએ કહ્યું હતું કે મહોલ્લા ક્લિનિકની ગુજરાતમાં જરૂર નથી અને મહોલ્લા ક્લિનિકમાં કુતરાઓ ફરે છે તો મફતનું લેવા ગયા એટલે ભૂખમરો આવ્યો છે તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
સીઆર પાટીલ અરવિંદ કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે કેટલાક લોકો ગુજરાતની સમૃદ્ધિ ગ્રહણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તો તેમને રોકવા જોઈએ કેટલાક લોકો મફત ની વાત કરીને આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરવામાં આવી રહી છે પરંતુ ગુજરાતમાં સારી વ્યવસ્થા છે અને ભાજપની સરકાર વ્યવસ્થિત ચાવી રહી છે મોહલ્લા ક્લિનિકની વાત કરે છે તો ગુજરાતમાં મોહલ્લા ક્લિનિકના જરૂરી જ નથી અહીં તમામ યોગ્ય વ્યવસ્થા છે અને મહોલ્લા ક્લિનિકમાં કેટલીક જગ્યાઓ પર કુતરા ફરતા હોય છે જેથી તે જરૂરી નથી તેમજ મફતની વાત કરતા હોય એટલે જ ભૂખ મરો આવ્યો છે.
સીઆર પાટીલએ પ્રહારો કરતા સમગ્ર માહોલ ગરમાયો હતો અને આપના નેતાઓમાં ખળભળાટ મચી હતી તેવામાં પાટિલના નિવેદન પર આપ દ્વારા પણ પ્રતિઉત્તર અપાઈ શકે છે.
Recent Comments