સુરતના 5 યુવાનઓએ ખાસ રિસર્ચ કર્યું છે. તેના કારણે રાજસ્થાનના 700 ગામોને પીવાનું શુદ્ધ પાણીમળશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના વોટર જેટ ઉદ્યોગોને પણ પાણીની અછત હવેનહીં સર્જાય.
સુરતમાં પાણીની અછતને પહોંચી વળવા માટે તેમ જ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરત પાંચ યુવાઓએ હવે કમર કસી છે. આ યુવાનોઓ 5 વર્ષ સુધી ખાસ રિસર્ચ કર્યું છે. તેના કારણે હવે રાજસ્થાનના બાડમેર જિલ્લાના 700 જેટલા ગામને શુદ્ધ પાણી પીવા મળશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના વોટર જેટ ઉદ્યોગોને પણ પાણીની અછત નહીં સર્જાય. યુવાનોના કારણે રોજે દરિયાના 1,500 લીટર ખારા પાણીને પીવાલાયક કરવામાં આવે છે. યુવાનોએ પોતાના રિસર્ચને પેટર્ન કરાવ્યું યુવાનોએ પોતાના રિસર્ચને પેટર્ન કરાવ્યું.
સુરતના 5 યુવાનોએ જે રિસર્ચ કર્યું છે. તે આગામી દિવસોમાં ક્રાંતિ સાબિત થઈ શકે છે. યશ તરવાડી, ભૂષણ પર્વતે, જ્હાન્વી રાણા, નિલેશ શાહ, ચિંતન શાહ તમામ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. તેમણે દેશમાં જે રીતે પાણીની અછત સર્જાઈ રહી છે અને દેશ મોટાભાગે દરિયાકાંઠાથી ઘેરાયેલો છે. ત્યારે તેને કઈ રીતે ખારા પાણીથી શુદ્ધ કરી પીવાલાયક બનાવી શકાય. આ માટે આ પાંચેય યુવાઓએ 5 વર્ષ સુધી મહેનત કરી અને રિસર્ચને પેટર્ન કરાવ્યું છે. તેને સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે.
વેસ્ટ પાણીનું શુદ્ધિકરણ
આ પ્લાન્ટ સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. એટલે કે, તેને વિજળીની જરૂર નથી. વળી RO સિસ્ટમમાં ઘણા મિનરલ હોતા નથી અને લાંબા ગાળે આરોગ્ય માટે લાભકારી પણ નથી. જોકે, આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત હશે. તેમાં રહેલી કોપરની ગુણવત્તા આરોગ્ય માટે સારી છે અને તે પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે.
રાજસ્થાન સરકારે યુવાનોનો કર્યો સંપર્ક
આ અંગે ચિંતન શાહે જણાવ્યું હતું કે, બાડમેર જિલ્લામાં RO સિસ્ટમથી પાણી શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ જે શુદ્ધ પાણી નથી આવું 50 ટકા પાણીને નિકાળ કરવામાં આવતું હોય છે, જે પર્યાવરણલક્ષી નથી. ત્યાંની સરકારે અમારો સંપર્ક કર્યો છે અને અમે ટૂંક સમયમાં ત્યાં પોતાની સિસ્ટમના માધ્યમથી પાણી શુદ્ધિકરણ કરીશું. આથી ત્યાં 700 ગામના લોકોને તેનો લાભ મળશે.
Recent Comments