રાષ્ટ્રીય

છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુરમાં સુરક્ષા દળો સાથે અથડામણમાં ૧ મહિલા નક્સલવાદીનું મોત

છત્તીસગઢના દંતેવાડા અને બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે સવારે નક્સલ વિરોધી ઓપરેશન પર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે વધુ એક અથડામણ થઈ હતી. જેમાં ઘણા નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. અત્યાર સુધીમાં, એન્કાઉન્ટર સ્થળ પરથી એક મહિલા નક્સલવાદીનો મૃતદેહ, એક ઇન્સાસ રાઇફલ અને દારૂગોળો સાથે રોજિંદા ઉપયોગની અન્ય વસ્તુઓ મળી આવી છે. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ પહેલા ૨૯ માર્ચે સુરક્ષા દળોએ ૧૬ નક્સલવાદીઓ પર હુમલો કર્યો હતો. આ ઓપરેશન દરમિયાન બે જવાનોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર કેરળપાલ પોલીસ સ્ટેશન વિસ્તારના જંગલોમાં થયું હતું, જ્યાં સુરક્ષા દળોની ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડ્ઢઇય્) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ)ના જવાનો આ ઓપરેશનમાં સામેલ હતા.
મહત્વનું છે કે, સુકમામાં એન્કાઉન્ટર બાદ બીજાપુરમાં ૫૦ નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. છેલ્લા અઢી મહિનામાં છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં ૧૩૩ નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું કે બીજાપુરમાં આત્મસમર્પણ કરનારા ૫૦ નક્સલવાદીઓમાંથી ૧૪ નક્સલવાદીઓના માથા પર ૬૮ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓને સરકારની પુનર્વસન નીતિ હેઠળ મદદ આપવામાં આવશે, જેથી તેઓ સમાજની મુખ્ય ધારામાં જાેડાઈ શકે અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે.

Related Posts