સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૭૧ નવા કેસ નોંધાયા છે.. અને છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.
હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના ૨૮૧ એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સંક્રમણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૯૫ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કોરોનાના ૮૬ પોઝિટિવ દર્દીઓ છે. સ્ટેડિયમ વોર્ડના દર્દીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયુ છે. તેમજ અસારવા સિવિલમાં ૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં ૫ કોરોના (ર્ઝ્રદૃૈઙ્ઘ૧૯) દર્દીઓ દાખલ હતા. અગાઉ ન્ય્ હોસ્પિટલમાં ૨ મહિલા દર્દીઓના મોત થયા હતા. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ૪૩૦૨ પર પહોંચી ગઈ છે. આ કેસ ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. મંગળવારે લગભગ ૩૦૦ નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ ૧૩૭૩ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર ૫૧૦ કેસ સાથે બીજા સ્થાને છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે દેશમાં ૪૪ લોકોના મોત થયા છે. આમાંથી છેલ્લા ૫ દિવસમાં ૩૭ દર્દીઓના મોત થયા છે.
ભાવનગર શહેરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા છે. ૨૯ વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. ૬૫ વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ૨ દર્દીઓને કોરોના મુક્ત થયા બાદ રજા આપવામાં આવી છે. દેશની વાત કરીએ તો, દેશમાં કોવિડ-૧૯ ના સક્રિય કેસોની સંખ્યા ૪૩૦૨ પર પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ ના ૨૭૬ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૮૧ દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં ૩૨૮૧ કોવિડ-૧૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં કોરોનાના નવા ૭૧ પોઝિટિવ કેસ નોંધાયા

Recent Comments