અમરેલી ના ચિતલ ખાતે લાંબા લોકડાઉન બાદ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત તા ૨૬ ના રોજ ૬૫ મોં નેત્રયજ્ઞ સમાજસેવક વજુભાઈ સેજપાલનીની સ્મૃતિમાં યોજાશે
અમરેલી ના ચિતલ વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજિત ૬૫ મો નેત્રયજ્ઞ તા૨૬ ના રોજ યોજાશે લાંબા લોકડાઉન બાદ સેવા ની સરવાણી પુનઃ શરૂ થશે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા વિદ્યાભારતી ટ્રસ્ટ આયોજીત ૬૫ મો નેત્રયજ્ઞ સ્વ. સમાજ સેવક વજુભાઈ ની સ્મૃતિમાં સરસ્વતી વિદ્યા મંદિર ચિતલ ખાતે તારીખ ૨૬/૧૨/૨૦ ને શનિવાર ના સવારના ૯-૦૦ કલાકે અમરેલીના સાંસદ સભ્ય નારાયણભાઈ કાછડીયા અધ્યક્ષ સ્થાને યોજાશે જેનું ઉદ્દઘાટન ઉષાબેન છે સેજપાલ ના હસ્તે રાખેલ છે.
આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા સુરેશભાઈ પાથર ચીતલ ના અગ્રણી મનુભાઇ દેસાઇ વગેરે ઉપસ્થિત રહેશે. નેત્રયજ્ઞ માં લાભલેવા ઇચ્છુંકે સંસ્થા ના પ્રમુખ ઈતેશભાઈ મહેતા (૯૪૨૭૨૦૬૩૨૦) સંયોજક બીપીનભાઈ દવે(૯૪૨૭૨૩૦૩૭૫) સંપર્ક કરવો જ્યારે આ કેમ્પને વિઠ્ઠલભાઈ કથિરિયા, રાજુભાઈ ધાનાણી, સંજયભાઈ લીમ્બાચીયા, દિવ્યેશભાઈ બોદર વગેરે નેત્રયજ્ઞ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Recent Comments