fbpx
અમરેલી

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત નેત્રયજ્ઞ સંપન્ન

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે  નેત્રયજ્ઞ યોજાયોસિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સહયોગ થી રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસજી બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એથી સંપૂર્ણ વિના મૂલ્યેઆંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર નેત્રમણી આરોપણ સાથે નો નેત્રયજ્ઞ યોજાયો  દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે આર્શીવાદ રૂપ નેત્રયજ્ઞ માં મોતિયા ના દર્દી ઓ માટે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે અતિ આધુનિક ટેકનોલોજી થી મોતિયા ના ઓપરેશન માટે દર્દી નારાયણો ને લઈ જવા જમવા રહેવા ની સુવિધા સાથે સેવારત હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો સેવા આપી વહેલી સવાર થી સિનિયર સીટીઝન ટ્રસ્ટ ના વડીલો ખડે પગે દર્દી નારાયણો ને અલ્પહાર રજીસ્ટેશન ની સેવા માં રત રહ્યા હતા ૩૭ મોતિયા ના દર્દી નારાયણો ને રાજકોટ હોસ્પિટલ લઈ જવા માં આવ્યા હતા 

Follow Me:

Related Posts