ટિકિટ વહેચણી મામલે ભાજપમાં ભડકોઃ નિકોલના મહિલા મોરચા મહામંત્રીનું રાજીનામું
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસ અને ભાજપમાં કકળાટ જાેવા મળી રહ્યો છે. ટિકિટ વહેચણીને લઇને બન્ને પક્ષના કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખના રાજીનામા બાદ હવે નિકોલ વિધાનસભા મહિલા મોરચાના મહામંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ છે.
ભારતીય જનતા પાર્ટી વિરાટનગર વોર્ડના મહિલા મોરચા મહામંત્રી સુમિત્રા નાયકે રાજીનામું આપ્યુ છે. સુમિત્રા નાયક છેલ્લા ૧૫ વર્ષથી સમાજસેવા અને ભાજપમાં કામ કરતા હતા. સુમિત્રા નાયકે નિકોલ વિધાનસભા મહિલા મોરચાના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.
Recent Comments