સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ થયેલ કામગીરી માં અધિકારીગણ તેમજ કર્મચારીગણ ને રાજયપાલ શ્રી ના હસ્તે એવોર્ડ મહામહીમ રાજયપાલ શ્રી ગુજરાત રાજય – આચાર્ય દેવવ્રતજી તા .૮ / ૩ / ૨૦૧૧ ના રોજ ગામ – અકાળા ( તા . લાઠી , જી.અમરેલી ) કૃષિ સેમીનાર અંતર્ગત પધારેલ હતા . રાજયપાલ શ્રી ગામ ની મુલાકાત તેમજ ગ્રામજનો સાથે સંવાદ – વાર્તાલાપ દરમિયાન પીજીવીસીએલ કંપની ની સાંસદ આદર્શ ગ્રામ યોજના ( SAGY ) હેઠળ થયેલ કામગીરી થી પ્રભાવિત થયેલ . વિજબચત તેમજ સલામતી અંગેના લોક જંગૃતિ અર્થે પ્રસિધ્ધિ કરતા ભિંતચિત્રો , હોર્ડીગ્સ , બેનર્સ વગેરે તેઓ એ નિહાળેલ હતા . નાયબ ઈજનેર એમ.એમ.કડછા દ્વારા રાજયપાલશ્રી ને સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામ માં થયેલ વિવિધ પ્રકાર ની દુરસ્તીકરણ તથા સમારકામ ની કામગીરી થી વાકેફ કરેલ . કૃષિ સેમીનાર દરમિયાન રાજયપાલશ્રી ના હસ્તે અકાળા ગામ ની ઉત્કૃષ્ટ કામગીરી માટે કાર્યપાલક ઈજનેર શ્રી કે.આર.પરીખ સા . , નાયબ ઈજનેર શ્રી એમ.એમ.કડછા સા . તથા શ્રી એન.એમ.ભવાણી સા . , જુનિયર ઈજનેર શ્રી એસ.આર.પટેલ સા . , તથા શ્રી એસ.આર.સરધારા સા . ને એવોર્ડ એનાયત કરાયેલ હતો . કુ . કે.જે.જોષી – જુનિયર ઈજનેર એ રાજયપાલ શ્રી ના ધર્મપત્નિ શ્રી દર્શનાદેવીજી ના હસ્તે એવોર્ડ સ્વીકારેલ હતો . કૃષિ સેમીનાર દરમિયાન નાયબ ઈજનેર શ્રી એમ.એમ.કડછા દ્વારા રાજયપાલ શ્રી ને પ્રકૃતિ ના જતન અંગે શુભ સંદેશ પાઠવતુ સ્મૃતિ ચિન્હ “ ચકલીઘર ” અર્પણ કરી પીજીવીસીએલ કંપની વતી અભિવાદન કરવામાં આવેલ હતું
ગુજરાત રાજય ના રાજયપાલશ્રી અકાળા ગામ માં વિજકંપની ની કામગીરી થી પ્રભાવિત થયા

Recent Comments