ગુજરાત

ભરતીની મોટી મોટી વાતો વચ્ચે ૪૫ ટકા નોકરીઓ ફિક્સ પગાર અને આઉટસોર્સિંગથી અપાઈ

ગુજરાત સરકારની ભરતી અંગેની નીતિને કારણે બેકારીમાં વધારો થઈ રહ્યો છે તેવો આક્ષેપ દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારે આજે ગુજરાત વિધાનસભામાં શ્રમ અને રોજગાર વિભાગની માગણીઓ અંગે બોલતા કર્યો હતો. ગુજરાત સરકારે આઉટસોર્સિંગ, ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટની સિસ્ટમથી જ ૪૫ ટકા જગ્યાઓ એટલે કે ૧,૬૪,૫૦૫ જગ્યાઓ પર ભરતી કરી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં ૪૦ ટકા જગ્યાઓ આઉટ સોર્સિંગથી, કોન્ટ્રાક્ટથી, અને ફિક્સ પગારથી ભરવામાં આવી છે.

ગુજરાત જાહેર સેવા આયોગે કરેલી ભલામણને આધારે નોકરી માટે અરજી કરી પરીક્ષા પાસ કરી લેનારાઓને પણ સરકારે નિમણૂકો આપી નથી. ત્રણ વર્ષમાં ૪૧૭ જગ્યા માટે કરેલી ભલામણ મુજબ શિક્ષણ, ઉર્જા, વન-પર્યાવરણ, સામાજિક ન્યાય, આરોગ્ય, શ્રમ-રોજગાર, સામાન્ય વહીવટ, શહેરી વિકાસ, મહિલા-બાળવિકાસ વિભાગોમાં ભરતી કરવામાં આવી નથી. તેમણે કહ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતના મેળાવડાઓ થાય છે. ભરતી મેળા થાય છે. રોજગારી કચેરીમાં લોકોના નામ નોંધવામાં આવે છે. આ સંજાેગોમાં ૧૯૯૦ની તુલનાએ ૨૦૧૮માં રોજગારીનું પ્રમાણ વધવું જાેઈે. પરંતુ રોજગારીનું પ્રમાણ ઘટયું છે.

સરકારી આંકડા અને સર્વેક્ષણમાં ગુજરાતને રોજગારી આપતા રાજ્ય તરીકે દર્શાવવામાં આવે છે. તેની સામે વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજગારીને નામે માત્ર વાયદાઓ જ થયેલા હોવાનું જણાય છે. ગુજરાત સરકાર ભરતીના કેલેન્ડરની વાત તો કરે છે, પરંતુ વાસ્તવમાં તે ભરતી કેવી રીતે કરવા માગે છે તે અંગે ફોડ પાડીને વાત કરતી જ નથી.
૧૯૭૫થી ૧૯૯૫ના બે દાયકામાં ૮૦૧૯૩ લોકોને રોજગારી આપવામાં આવી હતી, જ્યારે ૨૦૧૩-૧૪થી ૨૦૧૯-૨૦ના સાત વર્ષના ગાળામાં ૭૨,૯૨૭ લોકોને નોકરી આપવામાં આવી છે. ૨૦૧૮-૨૦ના ત્રણ વર્ષના ગાળામાં ૪૪૨૩ ખાલી જગ્યાઓ માટે ૨૨,૬૫,૧૪૪૪ની અરજી આવી છે, તે જ દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી ઘણી જ વધારે છે.

Related Posts