ગુજરાત

પવિત્ર રામનવમીનાં દિવસે ભગવાન શ્રીરામ હવે દયા કરે તે જરૂરી

પવિત્ર રામનવમીનાં દિવસે ભગવાન શ્રીરામ હવે દયા કરે તે જરૂરીઅમરેલી જિલ્‍લામાં કાળા માથાનો માનવી કુદરતનાં કહેર સામે લાચાર બન્‍યોપરમકૃપાળુ પરમાત્‍મા હવે આમઆદમીને બચાવે તે જરૂરી ઈશ્‍વરે બનાવેલા માનવીઓ કુદરતને પડકાર આપવા તૈયાર હતા તેવા જ સમયે કોરોનાની મહામારીએ સાબિત કરી દીધું કે ઈશ્‍વરે બનાવેલ માનવીઓ કયારેય ઈશ્‍વર બની ન શકે. હવે કોરોના સામે આમ આદમીથી લઈને વિશ્‍વની મહાસતાઓ પણ ઘૂંટણીએ પડી ગઈ હોય હવે પરમ કૃપાળુ પરમાત્‍માએ તેમનો પરચો બતાવી દીધો હોય હવે કોરોનાનું સંકટ પવિત્ર રામનવમીના દિવસે પૂર્ણ થાય તે જરૂરી છે

.અમરેલી જિલ્‍લામાં કોરોનાની મહામારીએ હાહાકાર મચાવ્‍યો છે. આમ આદમીથી લઈને ખાસ આદમી બેડ, ઈન્‍જેકશન કે દવા માટે આમથી તેમ ભટકી રહયા હોય આરોગ્‍ય વિભાગ પણ હાંફી રહયું હોય હવે કાળા માથાનો માનવી કુદરતના કહેર સામે લાંબુ ટકી શકે તેમ ન હોય હવે રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ આમઆદમીની મદદ કરીને કોરોનાને નેસ્‍ત નાબુદ કરે તેવી પ્રાર્થના કરવી જરૂરી બનીછે.

Related Posts