ગુજરાત

આયશા આપઘાત કેસઃ સેશન્સ કોર્ટ ફરીવાર પતિ આરિફના જામીન નામંજૂર કર્યા

ફેબ્રુઆરીમાં બે મિનિટનો ઈમોશનલ વિડીયો બનાવ્યા બાદ સાબરમતીમાં કૂદીને આપઘાત કરનારી ૨૩ વર્ષીય આયશા મકરાણીના આરોપી પતિ આરિફ ખાનના શહેરની સેશન્સ કોર્ટે ફરી એકવાર જામીન નામંજૂર કરી દીધા છે. ગુરુવારે એડિશનલ સેશન્સ ન્યાયાધીશ પી એન રાવલને નોંધ્યું કે, પત્નીને આપઘાત માટે ઉશ્કેરવા અને લગ્ન બાદ તેની સાથે ક્રુરતાપૂર્વક વ્યવહાર કરવામાં પતિની સંડોવણી હતી.
જણાવી દઈએ કે, એપ્રિલમાં મહિનામા પણ સેશન્સ કોર્ટે આરોપી પતિને ઝટકો આપ્યો હતો અને રેગ્યુલર જામીન નામંજૂર કર્યા હતા. તે દરમિયા સેશન્સ કોર્ટ કહ્યું હતું કે, આવા આરોપીને જામીનથી છૂટા ન મૂકી શકાય. જામીન મુક્તિથી સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે.
ઉલ્લેખનીય છે કે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ આયશા જાેબ પર ગઈ હતી. બપોરે પિતાને ફોન કરીને તેમના પૂછી ખબર અંતર પૂછ્યા હતા. બાદમાં તેણીએ પતિ આરિફને પણ ફોન કર્યો હતો. આયશાએ જણાવ્યું હતું કે, આરિફ સાથે લઈ જવા માંગતો નથી, હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરિફે કહ્યું હતું કે ‘તારે મરવું હોય તો મરી જા..મને વિડીયો મોકલજે’ તેવું કહેતા આયશાએ રિવરફ્રન્ટ પર બનાવેલો અંતિમ વિડીયો પણ મોકલ્યો હતો.

Related Posts