બોલિવૂડ

છૂટાછેડા બાદ આમિર-કિરણ સાથે દેખાયા, ચૈતન્ય અક્કિનેનીએ સેટ પરથી ફોટો શેર કર્યો

બોલિવૂડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની બીજી પત્ની કિરણ રાવ છૂટાછેડા પછી પણ એકબીજાની સાથે કામ કરી રહ્યા છે. આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાથી ડેબ્યુ કરી રેહેલો એક્ટર નાગાર્જુન અક્કિનેનીના દીકરા ચૈતન્ય અક્કિનેનીએ ફિલ્મનાં સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. છૂટાછેડાની જાહેરાત પછી બંનેની આ પ્રથમ તસવીર છે, ફોટોમાં બંને ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. ચૈતન્ય અક્કિનેનીએ ફોટોના કેપ્શનમાં લખ્યું, ગ્રેટફુલ.

આમિર અને કિરણે આની પહેલાં તેમના ચાહકો માટે વીડિયો મેસેજ શેર કર્યો હતો. વીડિયોમાં બંને એકબીજાનો હાથ પકડીને બેઠા હતા, આમિરે કહ્યું, તમને લોકોને દુઃખ થયું હશે, ગમ્યું નહીં હોય, નવાઈ લાગી હશે. અમે તમને એટલું જ કહેવા માગીએ છીએ કે અમે બંને ઘણા ખુશ છીએ અને અમે એક જ પરિવાર છીએ.

અમારા રિલેશનમાં ચેન્જ આવ્યા છે, પરંતુ અમે એકબીજાની સાથે જ છીએ. પાની ફાઉન્ડેશન અમારા દીકરા આઝાદની જેમ જ છે.
આમિર ખાને પહેલા લગ્ન રીના દત્તા સાથે કર્યા હતા. આમિર જ્યારે ‘કયામત સે કયામત તક’નું શૂટિંગ કરતો હતો ત્યારે જ તેણે રીના સાથે લગ્ન કર્યા હતા. આ જ ફિલ્મના ‘પાપા કહતે હૈ’ ગીતમાં રીના મહેમાન ભૂમિકામાં પણ દેખાય છે. ૧૮ એપ્રિલ ૧૯૮૬માં થયેલા એ લગ્ન ૧૬ વર્ષ ટક્યા. ૨૦૦૨માં તેમના ડિવોર્સ થઈ ગયા. આમિર અને રીનાને બે બાળક- જુનૈદ અને ઈરા છે. આ બંને રીના સાથે જ રહે છે.

Related Posts