જાફરાબાદ તાલુકામાં તોકેત વાવાઝોડાને આજે ત્રણ સાડા ત્રણ મહિના જેવો સમય થઈ ગયો છે છતાં પણ આજે ગરીબ લોકોને ઘરવખરી સહાય પેટે 7000 રૂપિયા સરકાર દ્વારા ચૂકવવાના હોય છે તે આજ દિન સુધી ચૂકવવામાં આવેલ નથી તો આગામી દિવસોમાં સાતમ-આઠમના તહેવારો આવતા હોય અને અમારા જાફરાબાદ તાલુકો પછાત વિસ્તાર હોય અને જુની પરંપરા મુજબ બહેન દીકરીઓ બધા પોતપોતાના માતા-પિતાના ઘરે તહેવાર કરવા આવતી હોય અને જ્યારે ગરીબ જનતાને હાલના તહેવાર હોવાથી ધરમાં અનાજ કરીયાણું તેલજેવી વસ્તુઓને ખરીદી માટે રૂપિયા ન હોય ત્યારે સરકારશ્રીએ ઘરવખરી સહાય મંજુર કરેલ હોય સતા પણ જાફરાબાદ તાલુકા પંચાયત દ્વારા આજ દિન સુધી ચુકવણું કરવામાં આવેલ નથી તો આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાકીદે ગરીબ જનતાને ઘર વખરી સહાય મળે તે બાબતે કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરૂ એ અધિકારી શ્રીઓ અને ધારાસભ્ય શ્રી અંમરીષભાઈ ડેર નેરજુઆત કરી છે
જાફરાબાદ તાલુકામાં સાતમ-આઠમના તહેવારો પહેલા તોકેત વાવાઝોડાની ઘરવખરીની સહાય ચૂકવવા માંગ કરતા ટીકુ ભાઈ વરુ

Recent Comments