અમરેલી

સાવરકુંડલાના ભુવા રેલવે ફાટક પાસે જીવલેણ અકસ્માત બાળકનું મોત, ૪ ગંભીર

બપોરના સુમારે સાવરકુંડલાથી ગારીયાધાર જતી ખાનગી મીની બસનાં ડ્રાઈવરની બેદરકારીના કારણે સાવરકુંડલાના ભૂવા રેલ્વે ફાટક પાસે લોખંડનાં બિંબપોલ સાથે મીની બસ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ૧૦ મુસાફરોને ઈજાઓ થઇ હતી. તેમાં ૪ ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

હાલ અમરેલી જીલ્લામાં ગોજારા વાહન અકસ્માતની પરંપરા સર્જાય રહી છે. અમરેલી જીલ્લામાં છેલ્લા ૪ દિવસોમાં વાહન અકસ્માતમાં ૧૪ લોકોના મોત નિપજયા હતા ત્યાં આજે ફરી સાવરકુંડલા ખાતે એક જીવલેણ અકસ્માતની પરંપરા સર્જાઈ હતી. આજે બપોરના સુમારે સાવરકુંડલાથી ગારીયાધાર જતી ખાનગી મીની બસનાં ડ્રાઈવરની બેદરકારીના કારણે સાવરકુંડલાના ભૂવા રેલ્વે ફાટક પાસે લોખંડનાં બિંબપોલ સાથે મીની બસ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૫ વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ૧૦ મુસાફરોને ઈજાઓ થઇ હતી. તેમાં ૪ મુસાફરો ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મુસાફરોને બહાર કાઢવા જેસીબી બોલાવવી પડી હતી, અને મુસાફરોને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને ઘાયલોને ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરવા રવાના કરવામાં આવ્યા હતા. બનાવની ગંભીરતા એટલી હતી કે સાવરકુંડલા, વિજપડી, વંડા, ખાંભાથી 108 ઘટનાસ્થળે બોલાવવી પડી હતી. આ ગંભીર અકસ્માતની જાણ થતા મામલતદાર, પ્રાંત કલેકટર તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. અકસ્માત બાદ મીની બસનો ડ્રાઈવર ફરાર થઇ ગયોહોવાથી પોલસ દ્વારા ડ્રાઈવરની અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

Related Posts