સુરત પોલીસ દ્વારા ભીખ માગવાના રેકેટમાં ધકેલવાનું કામ પણ કરે છે. સંયુકત પોલીસ કમિશનર (ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આવા તત્વોનો શોધીને તેમના વિરુદ્ધ કાયદા પ્રમાણેના પગલાં લેવાશે.એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જે ભિક્ષુકોને ટ્રાફિક જંક્શન પરથી હટાવવામાં આવશે તેમને રેન બસેરા અથવા તો ભિક્ષુક ગૃહમાં રખાશે, તેમના ઉપર ખાનગી રીતે વોચ રાખવમાં આવશે અને જાે તેઓ કોઈપણ રીતે બેગીંગ સિન્ડિકેટ સાથે જાેડાયેલા જણાશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. બુધવારની બેઠકમાં સ્થાનિક પોલીસની આ ડ્રાઈવમાં ભૂમિકા અને જે ખરેખર ભિક્ષુક હશે તેમના પુનઃવસન માટે ચર્ચા કરવામાં આવશે.સુરત પોલીસના પગલે હવે અમદાવાદ પોલીસે પણ ટ્રાફિક જંક્શન પરથી ભિક્ષુક અને જુદી જુદી વસ્તુઓ વેચતા ફેરિયાઓને હટાવવાનો ર્નિણય લીધો છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે તેઓ જુદા જુદા વિસ્તારના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ બાબતે બેઠક યોજશે અને આ ર્નિણયને કઈ રીતે અમલમાં મૂકવા તે બાબતે ચર્ચા કરશે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ આ ર્નિણય પ્રથમ તબક્કામાં સી જી રોડ, એસ જી હાઈવે અને સિંધુ ભવન રોડ પરના લગભગ ૫૦ જેટલા ટ્રાફિક જંક્શન પર લાગુ કરવામાં આવશે. ત્યારબાદ આ નિયમ સમગ્ર શહેરમાં લાગુ કરાશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘણા લાંબા સમયથી તેમને ફરિયાદો મળી રહી હતી કે કેટલાક ભિક્ષુકો કે જેઓ કોઈ સિન્ડિકેટ સાથે જાડાયેલા છે તેઓ અને ચાર રસ્તા પર અલગ અલગ વસ્તુઓ વેચતા ફેરિયાઓ ટ્રાફિક મુવમેન્ટમાં બાધારૂપ બની રહ્યાં છે.કેટલાક કિસ્સામાં પોલીસને બાતમી પણ મળી છે કે જે મોટા ભાગના ભિક્ષુકો કે જેઓ ટ્રાફિક જંક્શન પર ભીખ માંગે તેઓ કોઈ મોટી સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત સગીર વયના બાળકો અને કેટલાક ગરીબ લોકોને


















Recent Comments