અમરેલી

વિજ્ઞાન જાથાની રજુઆતને પગલે ૩૧ બોકળા પશુબલીમાંથી બચી ગયા તેમાં અમરેલી જિલ્લા કંટ્રોલ રૂમના હાજર પોલીસ અધિકારી–કર્મી, સીટી પોલીસ સ્ટેશને સુંદર કામગીરી કરી હતી તે માટે અભિનંદનના હક્કદાર છે.

પોલીસ કર્મીઓ હેડ કોન્સ્ટે. બી. ડી. વાળા, લોકરક્ષક સંજય પાટડીયા, અલ્પેશ ડોળાશીયા, ચિરાગ માટીયા, પો. કોન્સ્ટે. રાજદીપસિંહ ગોહિલ, જનક હિમાસીયા બોકળા રાખ્યા હતા તે જગ્યાએ પહોંચી ગયા.બે ઓરડીમાં ઠસોઠસ રાખ્યા હતા તેમાંથી બધા બોકળાને મુક્ કર્યા. માંડવામાં લાવવામાં આવ્યા. ૩૧ બોકળામાં કોઈ ર૦ દિવસનો તો કોઈ રપ, ૩૦, ૩પ દિવસના નિર્દોષ પશુઓને પોલીસે હાથમાં લઈ શ્રદ્ધાળુઓને બતાવ્યા. આ પશુનો વાંક શું ? રમાડવા ગમે તેવા પશુ છે. તપાસમાં પોલીસે નજરે જોયું તો અતિ ક્રુરતાપૂર્વક ટુંકા દોરડાથી પશુઓને બાંધવામાં આવ્યા હતા. પાણી, ઘાસ, નિરણની કોઈ વ્યવસ્થા ન હતી. ભુખ્યા–તરસ્યા પીડાદાયક હાલતમાં પશુ જોવા મળ્યા હતા. પશુઓને મુક્ કરતાં એક તબક્કે આંખમાં પાણી આવી જાય તે રીતે રમવા લાગ્યા હતા. પોલીસે તુરંત પશુ માટે પાણીની વ્યવસ્થા કરી ઉત્તમ માનવતાવાદી કાર્ય કર્યું હતું. નજરે જોનારાઓએ પોલીસની બે મોઢે પ્નશંસા કરી હતી. જાથાના કાર્યકરો નજરે જોતા હતા.
પો. ઈન્સ. જે. જે. ચૌધરીએ પશુબલી બંધ કરી કોરો, મીઠો પ્નસાદ રાખો માતાજી કદી પણ જીવ હિંસામાં માને નહિ તેવી અસરકારક વાત કરી સૌ એ માન્ય પણ રાખી હતી. પશુબલીના સમર્થકોને સમજાવવામાં પોલીસ તંત્ર સફળ રહ્યું હતું. પોલીસ કર્મી ભરતભાઈ ડાભી ફરીયાદી બની ત્હોમતદાર તરીકે ગારીયાધાર રહીશ ચુનાની ભઠ્ઠી, જુનો બેલા રોડ, વિજયભાઈ ઉદયસિંહ નાડોદા રાજપુત સામે પશુ પ્નત્યે ઘાતકીપણા અટકાવવાનો અધિનિયમ–૧૯૬૦ ની કલમ ૧૧(૧)એ ડી.ઈ.એચ.કે. જી.પી. એકટ કલમ ૧૧૯, ધી ગુજરાત એનીમલ્સ એન્ડ બર્ડ સેક્રીફાઈસ (પ્નોહીબીશન) એકટ ૧૯૭ર ની કલમ ૬(૧) અન્વયે દાખલ કરી ધરપકડ કરી ધોરણસર ફરિયાદ દાખલ કરી.
જાથાના જયંત પંડયાએ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાને પત્ર લખી અમરેલી જિલ્લા પોલસ તંત્રની ભારોભાર પ્નશંસા કરતો પત્ર મોકલ્યો, અમરેલી સીટી પો. સ્ટેશનનો પોલીસ સ્ટાફની અભિનંદનનો ઉલ્લેખ કર્યો. આગામી દિવસોમાં પો. ઈન્સ. જે. જે. ચૌધરીનું કદર કરવાનું જાથાએ નક્કી કર્યું છે. તે સંબંધી જિલ્લા પો. વડા નિર્લિપ્ત રાયને પત્ર લખનાર છે.
વિજ્ઞાન જાથાની રજુઆતને પગલે ૩૧ બોકળા પશુબલીમાંથી બચી ગયા તેમાં અમરેલી જિલ્લા કંટ્રોલ રૂમના હાજર પોલીસ અધિકારી–કર્મી, સીટી પોલીસ સ્ટેશને સુંદર કામગીરી કરી હતી તે માટે અભિનંદનના હક્કદાર છે.
અંતમાં જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે પશુબલીની મંજુરી બાબતે એક પણ સરકારનો પરિપત્ર અસ્તિત્વમાં નથી. અમુક લેભાગુઓ જ્ઞાતિ સમાજને ગુમરાહ કરી અસમંજસ ઉભી કરે છે તેથી સાવધાન રહેવા શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવે છે. પશુબલી કાયદેસર ગુન્હો બને છે તેમાં વિવિધ સજાની જોગવાઈ હોય સાવચેત રહેવા જાથા અનુરોધ કરે છે.
દેશમાં પશુબલી અટકાવવાનું જાથાનું અભિયાન ચાલી રહ્યું છે. વેર–ઝેર, ઈર્ષા વગર પશુબલીની માહિતી મો. ૯૮રપર ૧૬૬૮૯ ઉપર જાણ કરવા યાદીમાં જણાવાયું છે.

Related Posts