અમરેલી

પુરવઠા તંત્ર દ્વારા ઘરગથ્થું કેરોસીનના વેચાણ માટેના ભાવો નક્કી કરાયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘરગથ્થું કેરોસીનના નવા ભાવો નક્કી કરવામાં આવ્યા છે. દુમાડ, કંડલા, બારેજા, કાલીગ્રામ તથા પાલનપુર ડેપોથી અન્ય જિલ્લાના તાલુકાઓ અને અન્ય મથકોના અંતર ધ્યાને લઇ રોડ રસ્તે આવતા ઘરગથ્થું કેરોસીનના ભાવો નક્કી થયા છે. અમરેલી જિલ્લામાં આવેલા ૧૮ જેટલા સંગ્રહ કેન્દ્રો ઉપર એજન્ટે છૂટક વિક્રેતાને વેચાણ કરવાનો ૧૦૦૦ લિટરનો ડેપો ડિલિવરીનો વેચાણ ભાવ અને પરિવહન સાથેનો ડોર સ્ટેપ ડિલિવરી સાથેનો વેચાણ ભાવો નક્કી કરવામાં આવ્યા છે. તમામ સેન્ટરો પર અલગ અલગ એમ ૧ લિટર ઘરગથ્થું કેરોસીનના ભાવો રૂ. ૫૨ થી લઈને રૂ. ૫૫ સુધી નક્કી કરવામાં આવ્યા છે. એજન્ટ કે છૂટક વિક્રેતાએ ગ્રાહકોને વેચાણ કરવા માટેના ભાવો પણ નક્કી કરવામાં આવ્યા છે. જાહેર કરવામાં આવેલા ભાવો કરતા વધુ ભાવો લેવામાં આવતા હોવાનું અતંત્રના ધ્યાને આવશે તો કારયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમનો ૧ નવેમ્બરથી અમલ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ મામલતદારશ્રીઓએ તેમના તાલુકા હસ્તકના એજન્ટ અને છૂટક વિક્રેતાઓને હુકમની જાણ કરવાનું જણાવ્યું છે.

Related Posts